30, જુન 2024
198 |
બોલિવૂડની વેટરન એક્ટ્રેસ અભિનેત્રી ફરીદા જલાલે ૧૯૬૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આરાધના’માં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરી હતી. ફરીદાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મના શૂટિંગ દરમિયાન ખૂબ જ નર્વસ હતી, કારણ કે તેમને રાજેશ ખન્ના સાથે એક રોમેન્ટિક ગીત શૂટ કરવાનું હતું.ફરીદાએ કહ્યું, ‘આરાધના’ના શૂટિંગ દરમિયાન હું ખૂબ જ નર્વસ હતી. હું કોન્વેન્ટ સ્કૂલમાં મોટી થઈ છું. મારો ઉછેર મારી દાદી અને માતાએ કર્યો હતો. મારો એક મોટો ભાઈ હતો. જ્યારે હું બે વર્ષની હતી ત્યારે મારા માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા, તેથી મને મારા પિતાનો પ્રેમ ક્યારેય મળ્યો નથી. જ્યારે હું ફિલ્મોમાં આવી ત્યારે હું ખૂબ જ અચકાતી હતી. કારણ કે, મેં થોડા સમય પહેલાં જ શાળાનું ભણતર પૂરું કર્યું હતું અને મારે રાજેશ ખન્ના સાથે એક રોમેન્ટિક ગીત શૂટ કરવાનું હતું’.ફરીદાએ વધુમાં કહ્યું કે, ‘આરાધના’ દરમિયાન હું નવોદિત હતી અને મને કોઈ અનુભવ નહોતો. મેં માત્ર એક જ ફિલ્મ કરી હતી અને બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. આ સાથે હું ફિલ્મ ‘આરાધના’માં પણ કામ કરી . મને રોમેન્ટિક ગીતો અને દૃશ્યો વિશે કંઈ ખબર નહોતી. શર્મિલાજીએ તે દરમિયાન મને ખૂબ મદદ કરી. તેઓએ મારી ખૂબ કાળજી લીધી અને સમગ્ર શૂટિંગ દરમિયાન તેઓ મારી ખૂબ જ કાળજી લેતાં હતાં. જ્યારે પણ તેઓ મારા ચહેરા પર ઉદાસી કે મુશ્કેલી જાેતાં ત્યારે તે તરત જ મારી પાસે આવતાં અને મને પ્રોત્સાહિત કરતાં. તેઓ રાજેશ ખન્નાને ઠપકો પણ આપતાં હતાં.