વડા પ્રધાન નરેન્દ્ર પીએમ મોદીએ નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો
05, જુન 2025 396   |  

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો હતો. આ છોડ તેમને ૨૫-૨૬ મેના રોજ ગુજરાત મુલાકાત દરમિયાન કચ્છમાં ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી મહિલાઓના જૂથે ભેટમાં આપ્યો હતો.

વાસ્તવમાં, આ સિંદૂર પ્લાન્ટને ઓપરેશન સિંદૂર સાથે જાેડવામાં આવી રહ્યો છે. ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે ૭ મેના રોજ પીઓકે અને પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. સેનાએ ૧૦૦ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું હતું.

સિંદૂરનો છોડ શક્તિનું પ્રતીક, તે મંદિરોમાં વાવવામાં આવે સિંદૂર એક ખાસ પાંદડાવાળો છોડ છે જેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. તેને શુભ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે અને ઘણીવાર મંદિરો અને ઘરોમાં વાવવામાં આવે છે. તેની સંભાળ રાખવી સરળ છે.પ્રધાનમંત્રી ૨૬-૨૭ મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬-૨૭ મેના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution