છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક છુછાપુરા ગામ પાસે વડોદરાથી છોટાઉદેપુર જતી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુંછાપુરા ગામ નજીક ગમખવાર અકસ્માત સર્જાયો હતો મંગળવારની મોડી રાત્રે ૨ઃ૩૦ વાગ્યા આસપાસ એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યા હતા ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસ થી સ્થાનિકો દોડી આવ્યા જેમણે બચાવ કામગીરી હાથધરી હતી સાથે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથધરી હતી સંખેડાનાં છૂછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારનાં બોનેટનાં ભાગે ભારે નુકસાન થયું હતું આગળનો ભાગ કચડાઈ ગયો હતો જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢ્યા હતા મધ્યપ્રદેશ પાશિંગની (એમપી ૧૦ સીએ ૬૯૩૮) હુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મઘરાત્રે એક્સીડેન્ટ સર્જાયો હતો જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું હાલ પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથધરી છે એસ.ટી બસ કાલાવાડ રાજકોટ છોટાઉદેપુર રૂટની હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં કારનો કૂચે કુચા ઉડી ગયા હતા જાેકે બસ સવાર મુસાફરોઓને કોઈ જાનહાની થઇ નથી કારમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવા રાતની સવાર પડી હતી ચારે મૃતદેહને સંખેડા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોટમ માટે લઇ જવાયા હતા વડોદરાથી છોટાઉદેપુર જતી સરકારી બસ કાલાવડ છોટાઉદેપુર બસ અને મધ્ય પ્રદેશ થી આવતી નો રાત્રે બેથી ત્રણ ના સમયગાળા દરમિયાન ગંભીર અકસ્માત થવા પામ્યો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે બસ અને કાર ધડાકાભેર સામસામે અથડાતા આસપાસના ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા ડેડ બોડી જેસીબી મશીન દ્વારા કાઢવામાં આવી હતી અકસ્માતમાં ભોગ બનનાર ચાર વ્યક્તિ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના હોય તેઓ જાણવા મળી રહ્યું છે આ અકસ્માતમાં મરણ પામનાર વ્યક્તિ ડ્રાઇવર ઈશ્વરલાલ કરસનજી, બિરવા તાલુકો સનાવદ, જીલ્લો ખરગોન, મધ્ય પ્રદેશ તેમજ ગયરસલાલ ફતુજી પટેલ ,દિનેશભાઈ શિવરામ પટેલ ,રાજેશભાઈ દેવરામ અજનીયા, રહે સનાવદનું જાણવા મળેલ છે સદર અકસ્માતના પગલે સંખેડા પોલીસ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે