03, એપ્રીલ 2025
વડોદરા |
297 |
ઉત્તરવહી પરિક્રમામાં દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજીની અનોખી સાધના
પુરાણોમાં કહેવાયું છેકે, ગંગા સ્નાનથી તો નર્મદાજીના દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તી થાય છે. ત્યારે ચૈત્રી મહિનામાં ર્માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનું અનેરું મહત્વ છે. ગત તા. ૨૯મી માર્ચથી ચૈત્ર મહિનાની શરૂઆતથી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ થયો છે. લાખો ભક્તો પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે. એવામાં ચાંદોદના ચક્રતિર્થ ઘાટ પાસે દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજીએ ૪૫ દિવસ નર્મદા નદીના જળમાં રહીને અનોખા અનુષ્ઠાનનો સંકલ્પ લીધો છે. જેમાં તેઓ ૪૫ દિવસ અન્ન જળનો ત્યાગ કરીને ૨૪ કલાક નર્મદા નદીમાં ધ્યાન ધરીને ર્માં નર્મદાની આરાધના કરી રહ્યા છે.
રાજ્યના નર્મદા જિલ્લામાં ગત ૨૯ માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. જે આગામી ૨૭ એપ્રિલ સુધી ચાલશે. પરિક્રમમાં ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. ત્યારે અમરેલીના વડિયા તાલુકાના મૂળ બરવાળાના દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજી ડભોઈના ચાંદોદ તીર્થ ખાતે નર્મદા દર્શનાર્થે આવ્યા છે. ચૈત્રી નવરાત્રિ અને નર્મદા પરિક્રમા દરમિયાન વિશ્વ અને માનવ કલ્યાણના હેતુ સાથે શ્રી વિશ્વંભરીજી દ્વારા ૪૫ દિવસના કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કરાયો છે. ગત તા. ૨૮મી માર્ચથી શરૂ કરેલા કઠોર અનુષ્ઠાનમાં તેઓ દ્વારા અન્નજળનો પણ ત્યાગ કરાયો છે. એટલું જ નહીં આ ૪૫ દિવસ તેઓ નર્મદા નદીમાં કેડ સમા જળમાં પદ્માસન મૃદ્રામાં બેસી સાધના કરશે.
ચૈત્ર મહિના બાદ સોમનાથ જ્યોતિલિર્ંગથી ર્વાષિક અનુષ્ઠાનનો પ્રારંભ કરશે
માતાજી દુર્ગા ગિરી ગુરુ શ્રી વિશ્વંભરીજીના સેવકે જણાવ્યું હતું કે, દુર્ગા ગિરી માતાજીએ બરવાળા સ્થિત આશ્રમ ખાતે શિવરાત્રિથી શિવરાત્રિ વાર્ષિક અનુષ્ઠાન આશ્રમની ગુફામાં ૬થી ૭ વખત કર્યા છે. જ્યારે માતાજી દ્વારા ૪૫ દિવસીય નર્મદા અનુષ્ઠાન બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાશે જશે અને ત્યાં ૧૨ જ્યોતિર્લિંગ ખાતે આવેલા આશ્રમમાં જમીનમાં ખાડો કરીને ૧૩ મહિનાનો અનુષ્ઠાન કરશે. જેની શરૂઆત સોમનાથથી થશે.