અમિત શાહે ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં
08, માર્ચ 2025 792   |  

અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે પહેલા દિવસે પત્ની સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જે બાદ કોડીનારમાં શુગર મિલના પુનરુદ્ધાર તેમજ આધુનિકીકરણ કાર્યના ભૂમિપૂજન કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધન કર્યું. જ્યાં તેમણે જણાવ્યું કે, હું અને નરેન્દ્રભાઈ જે મિલમાં રાત રોકાયા હતા એનો પુનરુદ્ધાર કરીશું. જે બાદ તેઓ જૂનાગઢના ચાંપરડા ખાતે આવ્યાં હતા. જ્યાં બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ જવા રવાના થયા છે. આજે તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અમિત શાહે આજે જૂનાગઢ જિલ્લાના ચાંપરડા ખાતે આવેલા બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ મુક્તાનંદ બાપુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ અવસરે અમિત શાહે સૈનિક સ્કૂલ શાળા ભવન, સ્ટાફ ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર, મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમજ મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બ્રહ્માનંદ વિદ્યામંદિર સંસ્કૃત શક્તિ ગુરુકુલના ખાતમુહૂર્ત વિધિમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા.અમિત શાહે સૈનિક સ્કૂલના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આ શાળા સોરઠ વિસ્તારના બાળકો માટે આશીર્વાદરૂપ બનશે કે જેમના સપનાં સૈનિક બનવાના છે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું તાલાલાના કોડીનાર આવ્યો છું ત્યારે સૌને મારા રામ રામ. ૨૦૦૨માં ગુજરાત ગૌરવ યાત્રા લઇ નરેન્દ્રભાઇ આવ્યા ત્યારે હું નરેન્દ્રભાઇ અને દિલીપભાઇ ત્રણેય આખી રાત આ જ શુગર મિલમાં રોકાયા હતા. પછી શુગર મિલ બંધ થઇ ગઇ. જેટલીવાર હું કોડીનાર આવું ત્યારે કોડીનારના ખેડૂતો કહે કે હવે આનું કંઇક કરો. ત્યારે મોદીસાહેબે વચન આપ્યું હતું કે તેઓ આ મિલને ફરી શરૂ કરાવશે. તેમણે તેમનું વચન નિભાવ્યું. તેમનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદીસાહેબનું વચન પૂરું થવા જઇ રહ્યું છે. આ આખા પંથક અને વલસાડના ૧૦ હજારથી વધુ ખેડૂતોની સમૃદ્ધિનો દરવાજાે ખોલવાનું કામ આ શુગર મિલો શરૂ થવાથી થશે. એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ તો પાણીનો બગાડ થાય. ૈંઁન્ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાવી, એક-એક ખેડૂતને ડીપ ઇરિગેશનથી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કર્યું છે. આ કારખાનું જ્યારે ચાલુ થશે ત્યાર પછી અનેક પ્રકારની ચીજાે એની સાથે જાેડાશે.સોમનાથમાં અમિત શાહે ધર્મપત્ની સાથે મહાદેવનાં દર્શન કર્યાં હતા. ત્યાંથી સોમનાથ ફફૈંઁ ગેસ્ટહાઉસ ખાતે બપોરનું ભોજન લીધું હતું અને એ બાદ અમિત શાહ કોડીનારમાં શુગર મિલના પુન:ઉત્થાન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કોડીનાર ખાતે અમિત શાહનું આગમન થતાં કાર્યક્રમ સ્થળના રૂટ પર તેમનું અદકેરું અભિવાદન કરાયું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પત્ની સાથે શ્રી સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો, પૂજન સામગ્રી અર્પણ કરી સાથે જ ધ્વજાપૂજન અને મહાપૂજાનો સંકલ્પ કર્યો. ભગવાન સોમનાથ મહાદેવનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમનાં ધર્મપત્ની સાથે સોમનાથ પહોંચ્યા. હેલિપેડ ખાતે રેન્જ આઈ જી. નિલેશ ઝાંઝળિયા, એસ. પી. મનોહરસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ રાજેશ ચૂડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરી ભાઈ ઠકરાર, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજયભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, માનસિંહ પરમાર સહિતના ભાજપના પદાધિકારીઓ દ્વારા હેલિપેડ ખાતે અમિત શાહનું અભિવાદન કરાયું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution