13, મે 2023
891 |
કચ્છ (ભુજ ),હિન્દૂ સંસ્કૃતિમાં વ્યક્તિના જીવનકાળનાં જન્મથી મરણ સુધીની સંસ્કાર વિધિ કરવામાં આવે છે. તેમાં ગર્ભ સંસ્કાર એટકે કે સીમંત પ્રસંગનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે વર્તમાન સમયે લોકો દરેક અવસરે પશ્ચિમી સંસ્કૃતિનાં રંગે કાર્યક્રમ ઉજવે છે. ભુજનાં એક પરિવારે સીમંત સંસ્કાર વિધિ ભારતની પ્રાચીન સંસ્કૃત ભાષાને સ્થાન આપીને સંસ્કૃત ભાષામાં પોસ્ટર છપાવી, યજ્ઞવિધિ સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી. જીવનના જુદા-જુદા સ્તરે લોકો પોતાના પ્રસંગોને હવે પાશ્ચાત્ય સંસ્કૃતિની રીતે ઉજવી રહ્યા છે. જેમાં આજકાલ તો બેબી શાવર એટલે કે ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા સીમંત સંસ્કારમાં પણ હવે પશ્ચિમી સંસ્કૃતિની ઝલક જાેવા મળે છે. ઉપરાંત આજકાલ જે દરેક પ્રસંગે ફોટો ક્લિક કરવાની ફેશન શરૂ થઈ ગઈ છે. ત્યારે સીમંત સંસ્કાર બાદ પારંપરિક વિધિઓ પૂર્ણ કર્યા બાદ ગર્ભસ્થ બાળકના માતા-પિતા અને તેમના સગાં સંબંધીઓ પોતપોતાના સંબંધના પોસ્ટર હાથમાં પકડી ફોટા પડાવે છે. ત્યારે ભુજનાં જાેશી પરિવારે પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહીને આ પરંપરામાં ભારતની પ્રાચીન સંસ્કૃત ભાષાને મહત્વ આપ્યુ હતું અને ઘરની પુત્રવધુનો સીમંત પ્રસંગ ઉજવ્યો હતો.ભુજ શહેરમાં રહેતા ભાર્ગવ ધીરેનભાઈ જાેશી અને તેમના પત્ની વિરલ ભાર્ગવ જાેશીએ પોતાનો સીમંત સંસ્કાર કે જેને સંસ્કૃતમાં સીમંતોન્નયન સંસ્કાર કહેવાય છે. તેને સાંસ્કૃતિક રીતે યજ્ઞ કરીને, સંસ્કૃત ભાષાને મહત્વ આપીને ઉજવ્યું હતું. ભાર્ગવભાઈ જાેષી અને તેમના પત્ની વિરલબેનને બાળપણથી જ સંસ્કૃત ભાષામાં રસ હોઈ તેઓએ પશ્ચિમ કચ્છ સંસ્કૃતભારતીનાં સંયોજક અમિતભાઈ ગોર પાસેથી સંસ્કૃત બોલતા પણ શીખી રહ્યા છે. તો સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમને લઈ સીમંત પ્રસંગ પર તમામ વિધિ સંસ્કૃત ભાષમાં ઉજવી હતી. ભાર્ગવ જાેશીનાં કહેવા મુજબ સંસ્કૃત ભાષાને વાંચીને સમજી તો જવાય છે પરંતુ જ્યારે એ જ ભાષા બોલવામાં આવે ત્યારે કઠિન લાગે છે. પરંતુ શિક્ષક અમિતભાઈ ગોર આ વિષયમાં ખૂબ સારા માર્ગદર્શક છે. તેમના સંસ્કૃતના વર્ગો થકી સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ વધ્યો અને આનંદ આવવા લાગ્યો હવે તેનો ઉપયોગ જીવનમાં ઉતાર્યો છે.