મુંબઈના તાજમહેલ પેલેસ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
17, મે 2025 મુંબઈ   |  

આતંકવાદ સામે ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું. ત્યારે હવે, પાકિસ્તાન દ્વારા સિઝફાયર કરીને પેઠમાં ખંજર ભોકવા જેવુ કામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ એક વખત દેશની ફાઇનશીયલ કેપીટલ મુંબઈ ગંભીર સુરક્ષા ચિંતાનો સામનો કરી રહ્યું છે, પ્રાપ્ત વિગતો અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને હોટલ તાજમહેલ પેલેસને બોમ્બથી ઉડાવવાની ધમકી મવી છે. ધમકીનો ઈમેલ મુંબઈ એરપોર્ટ પોલીસ અધિકારીના અધિકૃત ઈમેલ આઈડી પર મોકલવામાં આવ્યો છે. ઈમેલમાં સ્પષ્ટ રીતે જણાવાયું છેકે, મુંબઈના બે મહત્ત્વના સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરાશે.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને જાણીતા તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. ધમકીનો ઈમેલ મુંબઈ એરપોર્ટ પોલીસને મોકલાયો છે, જેમાં આતંકવાદી અફઝલ ગુરુ અને શૈવક્કુ શંકરની અન્યાયી ફાંસીનો ઉલ્લેખ કરીને હુમલાની ચેતવણી અપાઈ છે. મુંબઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કશું શંકાસ્પદ મળ્યું નથી. મેઇલ મોકલનાર આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution