જમ્મુ - કાશ્મીરમાં ૧૪ આતંકીની યાદીમાંથી, ૬ ઠાર, ૮ નિશાન પર
17, મે 2025 શ્રીનગર   |  

જમ્મુ અને કાશ્મીરમાં, સેના આતંકવાદીઓ પર યમરાજની જેમ મંડરાઈ રહી છે. રેટ દિવસ સેનાના જવાનો દ્વારા આતંકવાદીઓની ખાતમો કરવા સતત કાર્યવાહી કરવામાં આવી છે છે. ત્યારે શોપિયા અને ત્રાલમાં અત્યાર સુધીમાં ૬ આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૪ આતંકીની યાદીમાંથી હજી આઠ સેનાના નિશાન પર છે.

સેનાએ માત્ર 48 કલાકમાં 6 સ્થાનિક આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે, ૧૧ આતંકવાદીઓ હજુ પણ સુરક્ષા દળોના રડાર પર છે. પરંતુ આમાં 8 આતંકવાદીઓ એવા છે જેમના નામ 14 આતંકીની યાદીમાં સામેલ છે. આ ૧૧ આતંકવાદીઓની યાદીમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓનો સમાવેશ થાય છે, જેમની સતત શોધ ચાલી રહી છે.


સેનાની આતંકીઓની યાદીમાં કોણ કોણ છે જાણો

આતંકવાદી નંબર-૧

આદિલ રહેમાન ડેન્ટુ

સોપોરનો રહેવાસી

લશ્કર-એ-તૈયબા, સોપોર કમાન્ડર

૫ માર્ચ ૨૦૨૧થી સક્રિય

શ્રેણી - એ

આતંકવાદી નંબર-૨

અહેસાન અહેમદ શેખ

પુલવામાનો રહેવાસી

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા

૨૪ જૂન ૨૦૨૩થી સક્રિય

શ્રેણી - સી

આતંકવાદી નંબર-૩

હરિસ નાઝીર

પુલવામાનો રહેવાસી

૨૪ જૂન ૨૦૨૩થી સક્રિય

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા

શ્રેણી - સી

આતંકવાદી નંબર-૪

આસિફ અહેમદ ખાંડે

શોપિયાનનો રહેવાસી

જુલાઈ ૨૦૧૫થી સક્રિય

હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા

શ્રેણી – એ

આતંકવાદી નંબર-૫

નસીર અહમદ વાની

શોપિયાનનો રહેવાસી

૩૦ નવેમ્બર ૨૦૧૯થી સક્રિય

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા

શ્રેણી - સી

આતંકવાદી નંબર-6

ઝુબેર અહમદ વાની ઉર્ફે અબુ ઉબૈદા ઉર્ફે ઉસ્માન

અનંતનાગનો રહેવાસી

અનંતનાગમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ ઓપરેશનલ કમાન્ડર

૧૯ એપ્રિલ ૨૦૧૮થી સક્રિય

શ્રેણી – એ+

આતંકવાદી નંબર-૭

હારૂન રશીદ ગનાઈ

અનંતનાગનો રહેવાસી

તે ૨૦૧૮માં POK ગયો હતો

તાજેતરમાં જ તે દક્ષિણ કાશ્મીર પાછો ફર્યો

જૂન ૨૦૨૧થી સક્રિય

આતંકવાદી નંબર-૮

ઝાકીર અહેમદ ગણાઈ

કુલગામનો રહેવાસી

૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩થી સક્રિય

લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution