કલા, ઈતિહાસ અને ધર્મનો સમન્વય ઃ ચાંપાનેર
20, નવેમ્બર 2024 નરેશ અંતાણી   |  

  મધ્યકાળમાં ગુજરાત બે રાજધાનીઓ ધરાવતું હતું અમદાવાદ અને ચાંપાનેર. અહમદશાહે અમદાવાદ વસાવી પોતાની રાજધાની ત્યાં જ રાખી પરંતુ મહમુદ બેગડાએ ચાંપાનેર જીતીને પોતાની રાજધાની અમદાવાદથી ખસેડીને ચાંપાનેરમાં સ્થાપી હતી.

     વડોદરાથી ચાલીસ કિલોમીટરના અંતરે પાવાગઢ ડુંગરની તળેટીમાં ચાંપાનેર આવેલું છે. ઐતિહાસિક પૂરાવાઓ આ સ્થાનને અતિ પ્રાચીન હોવાનું ઠરાવે છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે ચાંપાનેરમાં કરેલા સંશોધન દરમ્યાન અહીંથી પ્રાગઐતિહાસિક કાળના ઓજારો મળી આવ્યાં છે. ચાંપાનેરમાં મળી આવેલા માનવ વસ્તીના પૂરાવા લગભગ એક લાખ વર્ષ જૂના છે. ચંપાનેરમાં સદીઓ અગાઉ ભીલોનું સામ્રાજ્ય હતું. આ ભીલો દક્ષિણ–પૂર્વ ગુજરાતમાં વસે છે. વનરાજ ચાવડાના સાથી ચાંપાએ આ નગર વસાવ્યું આથી ચાંપાના નામ પરથી આ સ્થાન ચાંપાનેર તરીકે ઓળખાયું. જાે કે જાણીતા ઈતિહાસકાર – પારાતત્વવિદ્‌ ડો. આર. એન. મહેતા ના મંતવ્ય અનુસાર પાવગઢનો પથ્થર ચંપકવર્ણનો છે. આથી તેનું નામ ચાંપાનેર થયું હોય. આ સ્થાનનું મહત્વ તો સોલંકી કાળથી વધ્યું હોવાનું જણાય છે. જૈન આગમોમાં પણ ચાંપાનેર–પાવાગઢના ઉલ્લેખો જાેવા મળે છે. સોલંકી કાળ પહેલા અહીં જૈન મંદિરો હોવાનો પણ સંભવ છે કેમ કે અચલગચ્છના સ્થાપક વિજયચંદ્ર ઉપાધ્યાય પોતાના વિહાર દરમ્યાન ઈસવીસન ૧૧૧૩–૧૪માં પાવાગઢ આવ્યા હતા અને સંભવનાથના દર્શન કર્યા હતા.

     ઈસવીસન ૧૩૦૦માં અહીં ચૌહાણ વંશનું આધિપત્ય હતું એ સમયે ચૌહાણ હમીરદેવના પુત્ર રામદેવે પાવગઢની આસપાસના પ્રદેશ પર પોતાનો કબ્જાે જમાવી મજબૂત કિલ્લો બનાવ્યો અને ચાંપાનેરને પોતાના નાનકડા રાજ્યની રાજધાની બનાવી. પાવગઢ ડુંગરની ટોચ પર મહાકાલીનું પ્રાચીન સ્થાનક છે. અચલગચ્છના આચાર્યો મહાકાલીને સ્વગચ્છરક્ષિકા માને છે. આથી મહાકાલીના સ્થાનકને લીધે ચાંપાનેર –પાવાગઢ જૈનો અને હિન્દુઓનું પૂજનીય સ્થળ રહ્યું છે. અહીં બાવન જિનાલયના ભવ્ય મંદિરનું નિર્માણ જૈનસંઘે કરાવ્યું છે. જૈનોએ પાવગઢને શંત્રુંજય પર્વતનો અવતાર લેખાવ્યો છે.

     હાલોલ પાસેના ઉમરવાણ ગામના એક કૂવાની દીવાલ પરથી મળી આવેલા વિક્રમ સંવત ૧પરપ , ઈસવીસન ૧૪૬૯ના એક શિલાલેખમાં પૃથ્વીરાજ ચૌહાણના વંશમાં હમ્મીરદેવ દેવકુલમાં રામદેવથી આરંભાયેલા વંશમાં થઈ ગયેલા ૧૩ રાજવીઓનો ઉલ્લેખ છે. ચાંપાનેર મુસ્લિમ સત્તા હેઠળ આવ્યું એ અગાઉ ૧૮પ વર્ષ સુધી ઈસવીસન ૧૩૦૦ થી ૧૪૮૪ સુધી અહીં ચૌહાણની સત્તા હતી પરંતુ એ સમયે હાલનું ચાંપાનેર ન હતું, રાજપુતોના વખતનું ચાંપાનેર પાવગઢની ઉત્તર ભાગમાં તળેટી અડીને વસેલું હતું . હાલ એ ભાગ ઉજજળ છે. આજનું ચાંપાનેર મહેમૂદ બેગડાએ પોતાની જીત પછી પૂર્વ તરફ બંધાવ્યું. ચાંપાનેરનો ઈતિહાસ બહુ રોચક છે પરંતું અહીં માત્ર તેનો આછેરો ઉલ્લેખ કર્યો છે.

    ચાંપાનેરનું નગર આયોજન અમદાવાદને મળતું જ આવે છે. અમદાવાદને જેમ જ આ નગરને પણ જુમ્મા મસ્જિદને કેન્દ્રમાં રાખીને વિકસાવાયું છે. આ નગર કુદરતી સૌંદર્ય અને સ્થાપત્ય વારસાને લીધે ગુજરાતનું બેનમૂન સ્થળ છે. સૃષ્ટિ સૌંદર્ય અને ઈતિહાસની નજરે ચાંપાનેર–પાવાગઢ જેટલ મહત્વના સ્થળો ગુજરાતમાં ઓછાં છે. હિન્દુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્યોનો અહીં અનોખો ત્રિવેણી સંગમ જાેવા મળે છે. પાવગઢના સૌથી ઉંચા શિખરે કાલીકામાતાનું મંદિર છે. મહાદેવજી સિંધીયાએ રર૬ પગથિયાં પર્વતને કોતરીને બનાવ્યાં છે. મંદિરની બાંધણી સાદી અને નાની છે . રંગ મંડપ ઉપર ઘૂમ્મટ છે. ગર્ભગૃહમાં કાલીમાતાની મૂર્તિ, બહુચરા મતાનું યંત્ર અને વચ્ચે આ સ્થાનની અધિષ્ઠાત્રી કાળકા માતાની મૂર્તિનો મુખભાગ છે.

     અહીં જૈન મંદિરો ત્રણ સમુહોમાં આવ્યા છે. બાવનદેરી મંદિરો કે નવલખી મંદિરો , ચંદ્રપ્રભ અને સુપાર્શ્વનાથ મંદિર તથા પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો. આ મંદિરો ૧૪મી કે ૧પમી સદીમાં બંધાયાં છે. મુસ્લિમ શાસનકા દરમ્યાન ચાંપાનેરમાં અનેક મસ્જિદો, રોજા અને દરગાહનું નિર્માણ કરાયું છે. તેમાંની સૌથી સુંદર અને ભવ્ય જુમ્મા મસ્જિદ છે જેની ગણના ભારતના શ્રેષ્ઠ મુસ્લિમ સ્થાપત્યોમાં કરવામાં આવે છે. સાત મહેરાબ, અગાસી પર ૧૧ મોટા ઘુમ્મટ અને ૧૭ર સ્તંભો પર ઉમેલી આ મસ્જિદની બન્ને બાજુના મિનારા ૩ર મીટર ઉંચા છે. આ ઉપરાંત અહીં શહરકી મસ્જિદ, વહોરાની મસ્જિદ , મિનારા મસ્જિદ, પાંચ મહુડાની મસ્જિદ અને નગીના મસ્જિદ પણ જાણીતી છે. આ ઉપરાંત ચાંપાનેર–પાવાઢગનો કિલ્લો, પતાઈ રાવળના મહેલના અવશેષો, જળાશયો, વાવ, કૂવા અને કુંડના સ્થાપત્યો પણ ઉત્તમ અને દર્શનિય છે.

     ચાંપાનેરના ભવ્ય અને કલાત્મક કલા વારસાને ધ્યાનમાં લઈને જ યુનેસ્કોએ ગુજરાતના આ પ્રાચીન વારસાને જૂલાઈ ર૦૦૪માં વર્લ્ડ હેરીટેજનો દરજજાે આપ્યો છે. અને આ સમગ્ર સંકુલને 'ચાંપાનેર–પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક ' એવું નામ પણ આપ્યું છે. પાવાગઢમાં આસો તથા ચૈત્રી નવરાત્રિના નવે દિવસ મેળો ભરાય છે. અમદાવાદથી ૧૬૬ અને વડોદરાથી પ૩ કિલોમીટર દૂર આવેલા આ સ્થાને જવા તળેટી સુધી રેલવે સેવા ઉપલબ્ધ છે તો તળેટીથી ૧૪૦૦ ફૂટ સુધી બસ સેવા પણ મળે છે ટોચ પર જવા માંચીની સેવા સારી છે, માંચી સુધી પહોંચવા ખાનગી વાહનો પણ મળી રહે છે. અહીં રહેવા માટે માંચી પાસે પ્રવાસન નિગમનું વિહારધામ છે ઉપરાંત ધર્મશાળા અને લોજ પણ માંચી પર તથા તળેટીમાં છે .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution