18, નવેમ્બર 2024
વિનોદ શાહ |
આપણે બુધ સિવાયના સર્વ ગ્રહોનાં નક્ષત્રો વિષે જાેઈ ગયા છીએ. આજે બુધનાં નક્ષત્રો જાેઈશું. આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી, આ ત્રણેય બુધનાં નક્ષત્રો છે. શેરબજારમાં બુધ અને શુક્ર રોજબરોજના સોદાઓમાં સૌથી અગત્યના ગ્રહો મનાય છે. તેમાં બુધ તમને વેપારની સમજ આપે છે અને શુક્ર એ વેપારને સારી કમાણીમાં બદલી આપે છે. આને એ રીતે જુઓ કે તમારે જાે શેરબજારમાં કમાવું હોય તો એક માત્ર બુધના બળ પર તમે નથી કમાઈ શકતા. વેપારની સમજ સાથે વેપારી સફળતા પણ મહત્ત્વની હોય છે અને વેપારની સમજ બુધ આપે છે તો વેપારમાં સફળતા શુક્રની મદદથી મળે છે. આ ધ્યાનમાં રાખતાં તમારા માટે બુધની સાથે સાથે શુક્રનાં નક્ષત્રો પણ મહત્ત્વનાં બની જાય છે. તમે બુધ અથવા શુક્રના નક્ષત્રોમાં જાે યોજનાબદ્ધ રીતે સોદાઓ કરો તો તેના દ્વારા શેરબજારમાં સારો એવો નફો કમાઈ શકો છો.
સંપત્તિની બાબતમાં મેં એક વાત ખાસ જાેઈ છે. બુધ એ વેપાર, વાણી અને બુદ્ધિનો ગ્રહ છે. તે બુદ્ધિ દ્વારા અથવા વાણી દ્વારા અને ક્યારેક બંને દ્વારા વેપારમાં સારી એવી સફળતા આપે છે. પરંતુ આ સફળતાને જાે તમારે વધારે લાભમાં પરિવર્તિત કરવી હોય તો તમારી પાસે બુધ જેટલું જ બળ શુક્રનું પણ હોવું જાેઈએ. બુધની એક બહુ મોટી ર્નિબળતા એ છે કે તેનામાં બુદ્ધિની સાથે ચંચળતા વધારે છે. ઉપરાંત ક્યારેક તેની અંદર બાલિશતા પણ દેખાય છે. આ કારણે તેની અંદર સાતત્યનો અભાવ દેખાય છે. શેરબજારમાં સાતત્યનો અભાવ બિલકુલ ના ચાલે. એમાં તમે તમને ફાવે તે રીતે સોદા નથી કરી શકતા. બજારનાં સેન્ટીમેન્ટ્સને તમારે બરાબર સમજવાં પડે છે. જાે તમે બજારની તેજી-મંદીના ગ્રાફને સતત જાેતા રહો, તેનો અભ્યાસ કરતા રહો અને તે મુજબ ર્નિણયો લેતા રહો તો શેરબજારમાં તમારી સફળતાનો આંક બહુ ઊંચો જઈ શકે છે. આમાં તમને બુધની સાથે શુક્ર ખૂબ સારી મદદ કરે છે. તે બુધની ચંચળતાને ગંભીરતામાં બદલે છે. ઉપરાંત શુક્ર થોડો સ્વાર્થી હોય છે. તે પોતાના હિતને સદા સર્વોપરી માનીને જ ચાલે છે. શેરબજારમાં આ અભિગમ તમને મોટા સોદાઓ કરતાં રોકે છે અને ખોટા સોદાઓથી બચાવે છે.
બુધનાં નક્ષત્રોની એક ખાસ વાત એ છે કે જાે તમે મારી વાણીને પૂરી રીતે પોતાના નિયંત્રણમાં કરી શકો અને તેમાં વેપારની સમજ તથા બુદ્ધિની કુશળતાને ઉમેરી દો તો દુનિયાના કોઈ પણ વેપારમાં તમે સફળ રહી શકો છો. આ બાબત તમને શેરબજારમાં સૌથી વધારે કામમાં આવે છે. બુધની સાથે સૂર્યનાં નક્ષત્રો પણ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તે નાણાંના ક્ષેત્રમાં તમને અસાધારણ સફળતા અપાવે છે.
જાે કે તમારી કુંડળીમાં બુધ અને શુક્ર ગમે તેટલા સારા હોય પરંતુ જાે તે રાહુ-કેતુના સંબંધમાં અથવા તેમની પકડમાં હોય તો બુધની વેપારી બુદ્ધિ ક્યારેક નકારાત્મક બની જાય છે. બુધ અને રાહુ ભેગા મળીને તમને ખોટા વેપારોમાં જાેતરી દે તે પણ શક્ય છે. ક્યારેક તમે પોતે ખોટો વેપાર ના કરતા હો પરંતુ તમારા ભાગીદારને કારણે તમે કાયદાના સકંજામાં આવી જાવ તે પણ શક્ય છે. જાે તમારી કુંડળીના કેન્દ્રસ્થાનો કે ત્રિકોણસ્થાનોમાં રાહુ અને બુધનો અથવા રાહુ અને શુક્રનો સંબંધ બનતો હોય તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે.
કેટલાક કિસ્સાઓમાં મેં જાેયું છે કે બુધની મહાદશા અથવા આંતરદશા અમુક માનવો માટે ઘાતક સાબિત થાય છે. બુધની મહાદશામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાની દુર્ઘટના બની શકે છે. એમાંય જાે બુધની મહાદશામાં અચાનક આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય તો તેના આઘાતથી માનવ અકાળ મૃત્યુ પામે તેવી શક્યતાઓ વધી જાય છે. આત્મહત્યા કરનાર કેટલાક લોકોની કુંડળીઓનો અભ્યાસ કરતાં એ જાેવા મળ્યું છે કે બુધની મહાદશા કે આંતરદશામાં નાની વાતમાં પણ અત્યંત ભાવુક થઈ જઈ તે લોકો આપઘાત કરવા વધારે પ્રેરાતા હોય છે.
સામાન્ય રીતે ગુરુ સંતાનનો કારક ગણાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મેં જાેયું છે કે ગુરુને ધ્યાનમાં રાખીને સંતાનની પ્રાપ્તિ વિષે કરવામાં આવતું ફળકથન સચોટ નથી નીવડતું. જ્યાં ગુરુ નિષ્ફળ રહે ત્યાં બુધની મદદથી સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે એવું મેં ઘણા કિસ્સાઓમાં જાેયું છે.
એ જ રીતે શેરબજારમાં ક્યારેક સૂર્ય અને ગુરુ નિષ્ફળ સાબિત થાય ત્યારે શુક્રની મદદથી બુધ ઘણો સફળ સાબિત થાય છે.