મનરેગા કૌભાંડ: મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ
17, મે 2025

દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીઆ તાલુકામાં મનરેગા યોજનામાં ૭૦ કરોડનું મહાકૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા દાહોદ પોલીસ મથકે થોડા દિવસો પહેલા મનરેગા યોજનામાં કાર્યરત એજન્સીઓના માલિકો સામે નામજાેગ ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યામાં આ મહાકૌભાંડને પગલે ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. આ ફરીયાદ અગાઉ વિપક્ષના નેતા અમીત ચાવડા દ્વારા વિધાનસભામાં પણ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી અને આ મનરેગા મહાકૌભાંડના પુરાવાઓની સાથે ગુજરાતના મુખ્ય મંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મનરેગા યોજના સંદર્ભમાં સરકાર દ્વારા ગંભીરતા દાખવી દાહોદમાં જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા ફરિયાદમાં રૂપાંતર થતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. મુખ્યત્વે આ મનરેગા મહાકૌભાંડનું સમગ્ર નેટવર્ક દાહોદના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ સમગ્ર મનરેગા યોજનાનું ધાનપુર અને દેવગઢ બારીઆ તાલુકામાં કામકાજ સંભાળતા હોવાની ભારેખમ ચર્ચાઓ લોકમાનસમાં ઉદ્ભવવા પામી હતી, પરંતુ પોલીસ ફરિયાદમાં આ બંને મંત્રી પુત્રોના નામોનો સમાવેશ ન કરવામાં આવતાં તે ક્ષણે આશ્ચર્ય પણ સર્જાયું હતું. દાહોદ પોલીસે આ મહાકૌભાંડમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. આરોપીઓ હાલ જેલવાસ પણ ભોગવી રહ્યાં છે અને થોડા દિવસો પહેલા દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપી મનીષ પટેલ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. ત્યારે થોડા દિવસો પહેલા મંત્રીનો બંને પુત્રો દ્વારા દાહોદની નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મૂકી હતી અને બાદમાં એકાએક આ આગોતરા જામીન બંને પુત્રો દ્વારા પરત પણ ખેંચી લેવાતાં અનેક તર્ક વિતર્કો પણ વહેતાં થવા પામ્યાં હતાં. દાહોદ પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતાં મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો પૈકી એક પુત્ર બળવંત ખાબડનું નામ પોલીસ તપાસમાં સામે આવતાં ગતરોજ બળવંત પટેલની દાહોદ પોલીસે ધરપકડ કરી પોલીસ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લઈ આવી હતી. બળવંત પટેલ સમેત તત્કાલિન સમયના ટીડીઓ દર્શન પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. મંત્રી પુત્રની ધરપકડના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લામાં ફેલાતાં સૌ કોઈમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ દાહોદ જિલ્લાના સત્તાધારી પક્ષોમાં પણ અનેક ચર્ચાઓની વચ્ચે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. મંત્રી પુત્રની પોલીસે ધરપકડ કરતાં આગામી દિવસોમાં હવે અન્ય મોટા માથાઓ તેમજ અધિકારીઓની પણ સંડોવણી બહાર આવવાની પણ પૂરી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મંત્રી બચુ ખાબડે રાજીનામંુ આપવું જાેઈએ : ચૈતર વસાવા

રાજપીપળા : ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર અને એક ટીડીઓની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બચુ ખાબડ પણ રાજીનામું આપે એવી માગ કરી છે. આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વિધાનસભા સત્રમાં મે જે આ કૌભાંડ બાબતે પુરાવાઓ સાથે રજુઆત કરી હતી.આજે બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે તેનાથી મને સંતોષ થયો છે કે સરકારે તેમના પુત્ર પર કાર્યવાહી કરી છે.બચુ ખાબડના દબાણથી એમના પરિવારજનોની એજન્સીમાં કામગીરી થઈ એટલે બચુ ખાબડે રાજીનામુ આપી પોતે આ જવાબદારી સ્વીકારવી જાેઈએ. સાથે સાથે આ કૌભાંડમાં ૨૫૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તો એ તમામ રૂપિયા રિકવર થવા જાેઈએ.અને આમાં સંડોવાયેલા અધિકારીઓથી લઈ એજન્સીઓ પર પણ કાર્યવાહી થવી જાેઈએ.આમા મંત્રી પુત્રની માત્ર ધરપકડ કરી ફોર્મલિટી પૂરી થશે તો અમે ધરણા આંદોલન કરીશું. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે બચુ ખાબડ જ્યારે નર્મદા અને છોટોઉદેપુરના પ્રભારી મંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની જલારામ એન્ટરપ્રાઇઝે નર્મદા જિલ્લામાં ૪૦૦ કરોડનું કૌભાંડ કર્યું હતું.આ બાબતની પણ જાે તપાસ થાય તો આ કૌભાડમાં પણ બચુ ખાબડની સીધી સંડોવણી બહાર આવે એમ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution