લાવાના ફેલાવાથી સ્પેનિશ ટાપુ પર વધુ નુકસાનનો ખતરો
24, સપ્ટેમ્બર 2021

ટોડોક- 

સ્પેનના કેનેરી ટાપુઓમાં જ્વાળામુખી ફાટવાથી લાવાની હિલચાલ નોંધપાત્ર રીતે ધીમી પડી છે, ગુરુવારે શંકા ઉભી કરી કે શું તે સમગ્ર ટાપુમાં ફેલાશે અને સમુદ્રમાં વહેવાને બદલે વધુ ઘરોનો નાશ કરશે નહીં. બુધવારે ખુલ્લા વિસ્તાર પર પહોંચ્યા પછી લાવાની વિશાળ નદીની ગતિ ધીમી થઈને ચાર મીટર (૧૩ ફૂટ) પ્રતિ કલાક થઈ. તે લા પાલ્મા ટાપુ પર વિસ્ફોટ થયાના એક દિવસ બાદ સોમવારે ૭૦૦ મીટર (૨,૩૦૦ ફૂટ) પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું.

અધિકારીઓએ કહ્યું કે તેનો પ્રવાહ ધીમો પડતાં લાવાના સ્તર ઘટ્ટ થયા. ઘણી જગ્યાએ તે ૧૫ મીટર (૫૦ ફૂટ) સુધી વધ્યું છે. લાવા હવે ૧૬૬ હેક્ટર (૪૧૦ એકર) ને આવરી લે છે અને લગભગ ૩૫૦ ઘરો ગળી ગયો છે.

લાવા ધીમો પડતા શહેરના રહેવાસીઓને તેમના સામાન એકત્રિત કરવાનો સમય મળ્યો. સાથોસાથ ગાર્ડીયા સિવિલ પોલીસ ફોર્સ ગુરુવારે સવારે દરિયાકિનારે ટોડોકમાં રહેતા લોકોને તેમના ઘરે લઈ ગઈ. ગાર્ડીયા સિવિલે જણાવ્યું હતું કે વિસ્ફોટ પહેલા વિસ્તારમાં વધેલી ભૂકંપ પ્રવૃત્તિ હવે શમી ગઈ છે.

કેનેરી આઇલેન્ડ્‌સ વોલ્કેનોલોજી ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે જ્વાળામુખીના મુખમાંથી પીગળેલા લાવા રાખ અને ધુમાડો નીકળતો રહ્યો, જે ૪,૨૦૦ મીટર (લગભગ ૧૪,૦૦૦ ફૂટ) ની ઉંચાઇએ પહોંચ્યો. તેનાથી ટાપુ ઉપરનું એરસ્પેસ ખુલ્લું રાખી શકાય કે કેમ તે અંગે ચિંતા વધી છે.

ઈએનએઆઈઆરઈ જે સ્પેનની એરસ્પેસનું સંચાલન કરે છે, જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારની ઉપર બે વિસ્તારોને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે જેથી કટોકટી સેવાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે. ગુરુવારે લા પાલ્માની અને જવાની કેટલીક ફ્લાઇટ્‌સ મોડી પડી હતી.

ટાપુ પર તૈનાત કટોકટી લશ્કરી એકમે કહ્યું કે તેણે હવાનું પરીક્ષણ કર્યું છે અને કહ્યું છે કે સ્વાસ્થ્યને કોઈ જોખમ નથી.

અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટથી કોઈ જાનહાની થઈ નથી. જોકે મિલકત, માળખાગત સુવિધાઓ અને ખેતરોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

વૈજ્ઞાનિકો જ્વાળામુખીની પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા હતા. તેમણે સંભવિત વિસ્ફોટની ચેતવણી આપી હતી. આનાથી લગભગ ૭,૦૦૦ લોકોને સમયસર બહાર કાઢવામાં આવ્યા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution