મુખ્યમંત્રીના અધયક્ષસ્થાને ગાંધીનગર માં બેઠક શરૂ, લોકડાઉન અંગે લેવાશે નિર્ણય
04, મે 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષસ્થાને કોર કમિટી ની મહત્વપૂર્ણ બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને શરૂ થઈ છે. આ બેઠક માં લોકડાઉન પર ચર્ચા કરી નિર્ણય કરવામાં આવનાર છે. રાજ્ય ના 29 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ સહિત ના પ્રતિબંધો છે તેની મુદત 5 મેના રોજ પૂર્ણ થઇ રહી છે. ત્યારે આજ ની બેઠકમાં નિર્ણય લેવાશે કે આ પ્રતિબંધો લંબાશે કે કેમ. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવશ્રીઓ ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત સચિવો પણ જોડાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution