અરવલ્લીના મોડાસામાંથી એક સગીર અને ચાર બાળકો નિરાધાર હાલતમાં મળી આવ્યાં
20, જુલાઈ 2020

અરવલ્લી,તા.૧૯ 

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના બાયપાસ રોડ પર દેવરાજ ધામ નજીક શનિવારની મોડી રાત્રીએ બિનવારસી હાલતમાં એક સગીર સાથે ૪ બાળકો નિરાધાર હાલતમાં જોવા મળતા આજુબાજુમાં રહેતા લોકો બાળકોની મદદે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા ૨ કલાક સુધી પોલીસ ઘટનાસ્થળે ન પહોંચતા લોકોમાં પોલીસતંત્રની બેદરકારીસામે રોષ જોવા મળ્યો હતો. જાગૃત યુવતીએ ચાઇલ્ડ હેલ્પ લાઇનને જાણ કરતાં ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં બાળકો સાથે રહેલો સગીર રફુચક્કર થઇ જતા ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકોનો કબ્જો લીધો હતો.પોલીસ અને ચાઈલ્ડ હેલ્પલાઈનના સદસ્યોએ બાળકો સાથે રાખી સગીર યુવકની શોધખોળ હાથ ધરી હતી. . બાળકો સાથે રહેલો સગીર પોલીસતંત્રની લાપરવાહીના પગલે હવામાં ઓગળી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યાં સુધી સગીર નહિ મળી આવે ત્યાં સુધી રહસ્ય પર પડદો પડી રહે તો નવાઈ નહિ...!! અરવલ્લી જિલ્લાના મોડાસામાં શનિવારની મોડી રાત્રીએ કોઇ અજાણ્યા ઇસમો પાંચ બાળકોને બિનવારસી હાલતમાં મુકી ગયા હતા. બે બાળકો દેવરાજ ચાર રસ્તા તેમજ ત્રણ બાળકો ગણેશપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ બાળકો બિનવારસી હાલતમાં મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.પોલીસ તેમજ ચાઇલ્ડ લાઇનને જાણ કરી હતી.ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકોનો કબ્જો લીધો હતો.બાળકોના જણાવ્યા અનુસાર તેમના પરિવારજનો તેમના પર યાતના ગુજારતા હતા.ઘરકામ કરાવતા હતા.જોકે તેમને કોણ મુકી ગયું અને શા માટે મુકી ગયું છે તે અંગે કોઇ સ્પષ્ટ જણાવી શક્યા ન હતા.ચાઇલ્ડ હેલ્પ લાઇનના કાર્યકરતાના જણાવ્યા અનુસાર બાળકો પર તેમના માતા પિતા દ્રારા ત્રાસ ગુજરવામાં આવતો હતો.ચારે બાળકોના સરકારની ગાઈડલાઈન મુજબ કોવીડ-૧૯નો ટેસ્ટ કર્યા પછી હિંમતનગર ખાતે શેલ્ટરહોમમાં મોકલી આપવામાં આવશે તેમ શમીમબેને જણાવ્યું હતું. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution