રાજ્યનાં આ શહેરમાં રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી
25, માર્ચ 2021

સુરત

સુરત શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે, ત્યારે બહારથી સુરત શહેરમાં પ્રવેશતા લોકો પર તંત્ર ભાર મૂકી રહ્યું છે. આ પ્રયાસના ભાગ રૂપે રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. પરંતુ કેટલાક પ્રવાસીઓ કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જઇને સુરતીઓને કોરોનાના મુખમાં ધકેલી રહ્યાં છે.

સુરત રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવ્યા વગર જ શહેરમાં ઘૂસી જતા લોકો સામે કાર્યવાહી કરવાની કોઇ વ્યવસ્થા હજુ સુધી ગોઠવાઇ નથી. રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ માટે માત્ર એક જ ટીમ તૈનાત છે. રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓની સંખ્યા સામે એક જ ટીમની કામગીરી ધીમી પુરવાર થઇ રહી છે. લોકોની માગ છે કે, સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી એકથી વધુ ટેસ્ટિંગ ટીમ તૈનાત કરવામાં આવે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution