ભરીચ-

ભરૂચ-દહેજ રોડ ઉપર અકસ્માત સર્જાયો છે. ટ્રકની ટક્કર પછી ટેમ્પો પલટી જતા બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ઇજા થઇ હતી. ભરૂચ-દહેજ રોડ ઉપર દશાન નજીક ટ્રકની ટક્કર પછી ટેમ્પો પલટી ગયો હતો જેમાં ટેમ્પોમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમણે વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના વેપારી દહેજની રવિવારીમાં વેપાર કરવા જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ મૃતકોને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.