મુંબઇ-
મહારાષ્ટ્રમાં વધુ એક સાધુ પર ચાકુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે.આ બનાવ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બન્યો છે. મળતી વિગતો પ્રમાણે ઓરંગાબાદ જિલ્લાની એક પહાડી પર પ્રિયાશરણ મહારાજનો આશ્રમ છે.મંગળવારની રાતે સાત થી આઠ લોકો આશ્રમમાં ઘુસી ગયા હતા અને પ્રિયાશરણ મહારાજ પર ચાકુ વડે હુમલો કર્યો હતો.
જેમાં તેમને હાથ પર ઈજા થઈ હતી.હાલમાં તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યા છે.પોલીસે આ મામલાની તપાસ શરુ કરી દીધી છે.આ હુમલા પાછળનુ કારણ જમીન વિવાદ હોવાનુ મનાઈ રહ્યું છે.થોડા દિવસ પહેલા કેટલાક લોકો સાથે પ્રિયાશરણ મહારાજનો ઝઘડો પણ થયો હતો.
મહારાજ પર ચાકુ વડે હુમલો કરાયો હતો અને આ દરમિયાન કોઈ વસ્તુની લૂંટફાટ થઈ નહોતી.પોલીસ હવે તપાસ કરી રહી છે કે, હુમલો કરવા પાછળનુ અસલી કારણ શું છે. મહારાષ્ટ્રમાં પાલઘરમાં થોડા મહિના પહેલા બે સાધુઓનુ ટોળા દ્વારા મોબ લિન્ચિંગ કરવામાં આવ્યુ હતુ.આ મામલામાં પોલીસની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments