અહેમદ પટેલનો પાર્થિવ દેહ પહોચ્યો વડોદરા એરપોર્ટ પર, દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ હાજર
25, નવેમ્બર 2020

વડોદરા-

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવાર તરફથી માહિતી આપવામાં આવી કે, અહેમદ પટેલની દફનવિધિ તેમના વતન પિરામણ ગામમાં કરાશે. જેને લઈને વધુમાં જાણવા મળ્યાનુસાર કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પાર્થિવ દેહને ખાસ વિમાન મારફતે વતન લાવવામાં આવશે. આ વિમાન સાંજે 7 વાગ્યે દિલ્હીથી વડોદરા તમેનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો. ત્યારે પોતાના લાડિલા નેતાના અંતિમ દર્શન માટે કોંગ્રેસી નેતાઓ વડોદરા એરપોર્ટ પર આવી પહોચ્યા હતા જ્યાથી તેમને એમ્બુલન્સ મારફતે વતન પીરામણ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે સવારે 10 વાગ્યે તેમની અંતિમવીધી માટે તેમને લઈ જવાશે. અહેમદભાઈના પરિવારજનોએ ખાસ વિનંતી કરી છે તમામ લોકો કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરે અને કોઈપણ વ્યકિત ત્યાં રૂબરૂ ન આવે જે જ્યાં છે ત્યાં જ રહી પોતાની શ્રધ્ધાંજલી આપી એમના માટે પ્રાર્થના કરે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution