ઓરસંગ નદીમાં રેતીખનન માટે ખોદેલા ખાડામાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર જીવાદોરી સમાન ઓરસંગ નદી ની રેતી હવે પંથક ની પ્રજા માટે જાણે અભિશાપ બનતી જઈ રહી છે. ઓરસંગ નદી ની સફેદ રેતી નો કાળો વેપલો સમગ્ર જિલ્લામાં થઇ રહ્યો છે. ઓરસંગ નદીમાં નીકળતી સોના જેવી રેતી રેતમાફિયાઓ ધોળે દિવસે આડેધડ રેતી ખખન કરી ઓરસંગ નદી ને રેતી વિહોણી કરી નાખી છે. રેતી ખનન માટે ખોદેલા ઊંડા ખાડા અવાર નવાર ગરીબ આદિવાસી પ્રજાનો ભોગ લે છે. ખાડા ઊંડા હોવાથી અગાઉ પણ ઘણા લોકોના મોત થયા હોવાની ઘટનાઓ બની છે. જિલ્લાનું વહીવટી તંત્ર આંખ આડા કાં કરી માત્ર તમાશો જ જાેઈ રહેતું હોય તેમ જણાય છે.

ગઈકાલે રાયસીંગપુરા ગામની વૃદ્ધા બચીબેન મળીયાભાઈ રાઠવા ઉ. વ. ૭૫ ઓરસંગ નદીના પટ માં થઇ સામે કિનારે આવેલ પુનિયાવાંટ હનુમાન મંદિર દર્શને જતા રેતી ખનન માટે ખોદાયેલા ખાડામાં પડી ગયા હતા. આ ખાડામાં પાણી હોવાથી તેઓ બહાર ના નીકળી શકતા ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું. રેતી કાઢવા આડેધડ ખોદાયેલો ખાડો વૃદ્ધા ના મોત નું કારણ બન્યો હતો. હનુમાન મંદિરે દર્શન કરવા જતા બચીબેન કાલનો કોળિયો બન્યા હતા. રાત્રે વૃદ્ધા ની લાશ ખાડા માં દેખા દેતા સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી વૃધ્ધા ની લાશ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. અંદર ના ગામો ઓરસંગ નદીના પટમાં આડેધડ ખાડા ખોદી રેતી ખનન કરતી લીઝો કાયદેસર છે કે કેમ તે પણ તપાસ નો વિષય છે ? જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ તો માત્ર સબ સલામત ના ગુલબાંગોમાં જ રાચતા હોય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution