વડોદરા-
જિલ્લાના સાવલી ગામે જશોદા નગર સોસાયટીમાં અને ગોઠડા ગામમાં છેલ્લા ચારેક દિવસથી એક કપિરાજ લોકો પર હુમલા કરતો હતો. જેમાં 5થી 6 લોકોને ઈજા થઈ હતી. કપિરાજ આવતા-જતા લોકોને બચકા પણ ભરતો હતો. જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. આ ઉપરાંત લોકો કપિરાજથી બચવા માટે લાકડી અને અન્ય મારક હથિયારો સાથે બહાર નિકળતા હતા. આ બાબતે વનવિભાગને જાણ કરાતા આજે મંગળવારે વહેલી સવારે પાંજરૂ મૂકી કપિરાજને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા નજીક સાવલી અને ગોઠડા ગામે છેલ્લા 4 દિવસથી કપિરાજે આતંક મચાવ્યો હતો. ગ્રામજનોમાં ભારે ખોફ ફેલાવનારા પૂંછ વિનાના કપિરાજને વનવિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments