અમદાવાદ-

ગુજરાતના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી બેન દવે કોરોના સંક્રમિથ થયા છે. આ અંગે વિભાવરીબેન દવેએ ટ્વિટ કરી માહિતી આપી હતી. હાલમાં તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ અનુસાર રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયા છે. ત્યારે વિભાવરી બેન દવેએ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. વિભાવરીબેને ટ્વિટમાં જણાવ્યું હતું કે, " આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય, જેથી મારા સંપર્કમાં આવેલ તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદ થી હાલ મારી તબિયત સ્વસ્થ છે."