મહિલાઓ સાથે દુષ્કર્મ પ્રકરણમાં ઈડરમાં પાવાપુરી જૈન મંદિરના બે મુનિની ધરપકડ
28, જુન 2020

ઇડર,તા.૨૭ 

ઇડરમાં મહિલા સાથે દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા બે જૈનમુનીની ધરપકડ કરવામાં આવી. ઈડર પોલીસ દ્વારા બન્ને જૈનમુનીની ધરપકડ કરવામાં આવી છે. બન્ને મુનીની તબીયત સારી ન હોવાથી તેમને સિવિલ હોસ્લપિટલમાં લઈ જવામાં આવ્યા. ઈડરના પાવાપુરી જૈનમંદિરના બે જૈન સાધુ સામે દુષ્કૃત્યો આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. બે જૈન સાધુ સામે અનુયાયી મહિલાઓને તંત્ર મંત્રના નામે ડરાવી ધમકાવી દુષ્કૃત્ય આચર્યા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.ફરિયાદ બાદ પોલીસે બંને સાધુઓને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી વિવિધ આક્ષેપો અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.બંને સાધુઓ છેલ્લા એકાદ વર્ષથી વ્યભિચાર આચરતા હોવાની તેમજ મહિલા અનુયાયીને ખરાબ નજરે જાઈ તેમનું શારીરિક તથા માનસિક શોષણ કરતા હોવાની મૌખિક ફરિયાદો મળી હતી. તેમજ આ બન્ને સાધુ જૈન ધર્મના ઓથા તળે આનુયાયી મહિલાઓને ધમકાવી દુષ્કૃત્યો આચરતા હતા. જેને પગલે ટ્રસ્ટી મંડળે બન્ને સાધુ સામે ફરિયાદ નોધાવી હતી. આ સાથે પીડિત મહિલાનું નિવેદન નોધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution