રાજકોટ-
રાજકોટના જૈતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે પિતાએ પુત્રને મકાન ખાલી કરવાનું કહેતાં પુત્રએ મકાન ખાલી કરવાને બદલે દોરીથી ગળે ટૂંપો આપીને પિતાની હત્યા નીપજ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. મોટા ગુંદાળા દામે રહેતા ખેડૂત મથુરભાઈ અમીપરાને પુત્ર સાથે બનતું ન હોય તેઓએ પોતાનું મકાન પુત્રને આપીને અલગ રહેતા હતા. જેમાં ગઈકાલે તેઓ પોતાના ઘરે આવી હવે પોતાને પણ અહીં રહેવું હોય તેમ પુત્રને કહેતાં પ્રથમ પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. પરંતુ પત્ર રાજેશ પિતાને સાથે રાખવા તૈયાર ન હોય પિતાએ મકાન ખાલી કરવાનું કહ્યું હતું.
પિતાએ કાળી મજૂરી કરીને બનાવેલ મકાન પર હક જમાવીને બેસેલાં પુત્રને મકાન ખાલી કરવું ન હોવાથી તે પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પુત્રએ ઘરમાંથી દોરી લઈ પિતાને ગળેટૂંપો આપી દીધો હતો. ગળેટૂંપો આપવાથી પિતા પગ પછાડી તડફવા લાગ્યા હતા. પરંતુ પુત્રને જરા પણ દયા ન આવી અને દોરી ખેંચી જ રાખતા પિતાના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. મિલ્કત માટે પિતાની હત્યા નિપજાવી પુત્ર ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments