ભાવનગર-
સિહોર નજીકના આંબલા ગામના અને જેલમાં સજા ભોગવી પેરોલ પર છુટેલા એક કેદીએ તેની પત્ની સાથે ગામથી દૂર ડુંગરાળ વિસ્તારમાં ઝાડ પર સાડી વડે લટકી જઈ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
સિહોર નજીકના આંબલા ગામના ચકુભાઈ રામજીભાઈ વાઘેલા નામનો વ્યક્તિ, જે કોઈ ગુનામાં જેલની સજા કાપી રહ્યો હતો અને જે પેરોલ પર બહાર હતો. આ દરમિયાન તે, તેની પત્ની ભાવુ સાથે ઘરની બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ ડુંગરાળ વિસ્તારમાં જઈ એક ઝાડ પર સાડી વડે ગળાફાંસો ખાઈ બંનેએ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ તેના પરિવારજનો અને અન્ય લોકોને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સોનગઢ પોલીસને જાણ કરી હતી. પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અંગે પોલસી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવમાં આપઘાત કરવા અંગેનું કોઈ કારણ હજુ બહાર નથી આવ્યું. નોંધનીય છે કે, આ દંપતીને ત્રણ સંતાનો પણ છે, જેની ચિંતા કર્યા વગર બંનેએ પોતાના જીવનનો અંત આણી દીધો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments