રાજપીપળા

ગરુડેશ્વરમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, માજી વન મંત્રી શબ્દશરણ તડવી સહિત ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી.મનસુખ વસાવાએ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો.ગરુડેશ્વર ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં ન્શ્‌ સાથે રહીને ૪ આદિવાસીઓ કમાયા છે અને ઉપર કહે છે મનસુખ વસાવા ખોટું બોલે છે.નેતાઓનું થઈ ગયું એટલે એવું નથી કે બધાનું થઈ ગયું.હું પોતે પણ કરજણ ડેમનો અસરગ્રસ્ત છું, અસરગ્રસ્તની વેદના શુ છે એ મને ખબર છે.અમુક ચોર લોકો આપણને દબાવવાની વાત કરે એ નહિ ચાલે.મનસુખ વસાવા પાર્ટી થકી મોટો માણસ થયો છે પણ હું ગરીબ પ્રજાને મદદરૂપ ન થાવ તો સાંસદનું પદ શુ કામનું.પેહલા કેવડીયામાં સાયન્સ સ્કૂલ હતી, હોસ્પિટલ ધમધમતી હતી એ બંધ થઈ ગઈ એના જવાબદાર આપણા જ લોકો છે.આપણા જ કેટલાક લોકો પોતાની સ્કૂલ ચાલે એટલે કેવડિયાની સ્કૂલ બંધ કરાવવા નીકળ્યા હતા.હું આદિવાસીઓ માટે લડું છું અને લડતો આવીશ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈ પણ એજન્સી આવે પહેલા સ્થાનિકોને નોકરીએ રાખો.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મોટા પ્રોજેક્ટોમાં જેની પણ જમીન જાય એને અસરગ્રસ્ત તરીકેના લાભ મળવા જાેઈએ.દહેજમાં મોટા મોટા ઉદ્યોગોમાં ઘણા લોકોની જમીનો ગઈ છે, વળતર પેટે લોકોને કરોડો રૂપિયા મળ્યા છે, પણ એ જ કરોડપતિ આજે રોડપતિ થઈ ગયા છે.કેવડિયા વિસ્તારમાં કેનાલ નજીક રહેતા લોકોને હાલમાં પણ સિંચાઈનું પાણી મળતું નથી.સ્ટેચ્યુ ઓફ યુનિટી અસરગ્રસ્તો માટે ઉપરના લોકોએ ગાઈડલાઈન બનાવી છેસ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના ગામોનો રસ્તો બનાવવાની આપણી ફરજ છે.