દિલ્હી-

શનિવારે, ભાજપના 37 વર્ષીય કાર્યકરને ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં તેમના નિવાસસ્થાન પર ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે (ત્રિપુરા પોલીસ) આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જલચંદ્ર કારબારી પરા વિસ્તારમાં આવેલા કૃપા રંજન ચકમાના મકાનમાં બંદૂકધારીઓનું એક જૂથ ઘુસી ગયું હતું અને તેમના પર ફાયરિંગ કર્યું હતું.

ભાજપ જિલ્લા સમિતિના સદસ્ય આશિષ ભટ્ટાચારજી, સ્થાનિક ધારાસભ્ય શંભુલાલ ચકમા, પક્ષના જનજાતી મોરચાના જિલ્લા પ્રમુખ હંસા કુમારે તેમના ઘરે મુલાકાત લીધી અને શોક વ્યક્ત કર્યો. ભાજપના પ્રવક્તા નબેન્દુ ભટ્ટાચારજીએ કહ્યું કે, "તેમની હત્યા ત્રિપુરા આદિજાતિ વિસ્તાર સ્વાયત રાજ્ય જિલ્લા પરિષદ (ટીટીએએડીસી) ની ચૂંટણી પૂર્વે કરવામાં આવેલી એક કાવતરું છે."