કોંગ્રેસ કંઇ વાતની માફી માંગે, પુલવામાં હુમલાના રાજકારણમાં શશિ થરુરનો પલટવાર
31, ઓક્ટોબર 2020

દિલ્હી-

પુલવામા હુમલા અંગે ઇમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીની કબૂલાતથી ભારતના રાજકીય ખેચતાણમાં વધારો થયો છે. ફવાદ ચૌધરીના નિવેદન બાદ ભાજપ કોંગ્રેસ પર હુમલો કરનાર છે. ભાજપની માંગ છે કે પુલવામા પર કોંગ્રેસે માફી માંગવી જોઈએ.

પરંતુ કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું છે કે તેમને સમજાતું નથી કે કોંગ્રેસે માફી કેમ માંગવી જોઈએ.  અમે સરકાર પાસે અપેક્ષા રાખી હતી કે સરકાર અમારા સૈનિકોની સુરક્ષા કરશે? શશી થરૂરે કહ્યું કે અમે શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તો શું અમે તેના માટે માફી માંગીએ ?. 

શશી થરૂરે કહ્યું કે તેઓ હજી પણ પુલવામા કેસમાં સત્તાવાર તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓને કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો મળી શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પાકિસ્તાનના વિશ્વાસઘાત અંગે કોઈ સમાચાર નથી, સમાચાર ત્યારે થશે જ્યારે મોદી સરકાર તેના વિશે યોગ્ય જવાબ આપશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution