રાજસ્થાનના મુખ્યમંત્રી થયા કોરોના સંક્રમિત,ટ્વીટ કરી આપી જાણકારી
29, એપ્રીલ 2021

રાજસ્થાન

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પણ કોરોના સંક્રમણની જપેટમાં આવી ગયા છે. અશોક ગહલોત પણ હવે કોરોના સંક્રમિત થઈ ગયા છે. ત્યાર બાદ સીએમએ પોતાને આઈસોલેટ કરી લીધા છે. સીએમ ગહલોતની કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવી છે. સીએમ ગહલોતે આજે સવારે ટ્વીટ કરી પોતાને કોરોના પૉઝિટિવ થવાની જાણકારી આપી. એક દિવસ પહેલા બુધવારના સીએમ ગહલોતની પત્ની સુનીતા ગહલોતની કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવી હતી.

અશોક ગહલોતએ ટ્વીટ કરી કહ્યુ છે કે કોવિડ ટેસ્ટ કરાવા પર આજે મારો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે. મને કોઈ રીતના લક્ષણ નથી અને હું સ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છુ. કોવિડ પ્રોટોકૉલનું પાલન કરીને હું આઈસોલેશનમાં રહીને જ કાર્ય ચાલુ રાખીશ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution