નૈનિતાલ
ઉત્તરાખંડમાં ફરી એકવાર આભ ફાટવાની ઘટના સામે આવી છે. નૈનિતાલ નજીક કૈંચી ધામ વિસ્તારમાં બે સ્થળોએ આભ ફાટવાની ઘટના સામે આવી છે. જ્યારબાદ પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં મંદિરને નુક્સાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી છે. મંદિર સમિતિના સભ્ય નિરજ તિવારીએ જણાવ્યું કે, મોડી સાંજે મંદિરની પાછળની 2 ટેકરીઓ પર એક વાદળ ફાટ્યા હતા. જેનો કાટમાળ મંદિરની સુરક્ષા દિવાલ તોડીને પરિસરમાં ઘૂસી ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્તારમાં હવે ભયનો માહોલ સર્જાયો છે અને ગામના મોટાભાગના વૃક્ષો પડી ગયા છે.
મંદિરથી 50 મીટર દૂર આવેલી બીજી એક ટેકરી પર વાદળ ફાટતા પહાડનો કાટમાળ નૈનિતાલ-અલ્મોરા નેશનલ હાઈવે પર આવી પડ્યો હતો. કાટમાળને પગલે રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. જેના કારણે વાહનોની કતાર જોવા મળી હતી. સ્થાનિક તંત્ર દ્વારા હાલમાં પણ હાઈવે પરથી પહાડનો કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments