ખેડુત આંદોલન: વિવિધ રાજ્યોમાંથી લગભગ 15 થી 20 હજાર ખેડુતો દિલ્હી પહોચી શકે છે
28, નવેમ્બર 2020

દિલ્હી-

ખેતીના કાયદાના વિરોધમાં દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને દિલ્હીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે આ નિર્ણય આજે ખેડુતોની બેઠકમાં લેવાનો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિંઘુ બોર્ડર પર રોકાયેલા ખેડુતો હાલ નિરંકારી ગ્રાઉન્ડ પર જવા તૈયાર નથી. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આંદોલનમાં ભાગ લેવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી લગભગ 15 થી 20 હજાર ખેડૂત આજે દિલ્હી પહોંચી શકે છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે તેમના તમામ જિલ્લાના એકમોને વિશેષ ચેતવણી પર રાખ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીની તમામ સરહદો પર લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (એલઆઈયુ) ના કેટલાંક ડઝન અધિકારીઓ તૈનાત છે. ખેડૂત આગેવાન ટીકાઈટના નેતૃત્વમાં ભોપ્રા બોર્ડર, ગાઝિયાબાદ અપ્સરા બોર્ડર, નોઈડા કસના બોર્ડર અને ગાઝીપુર બોર્ડરના સહારનપુર મેરઠથી ખેડૂત દિલ્હી પહોંચી રહ્યા છે. આ ખેડૂત આગેવાનોની દૌરાળા ચેકપોસ્ટ પર બેઠક પણ થઈ છે.

રાજસ્થાનથી ખેડુતો ધૌલા કૂવાના કપશેડા થઈને દિલ્હી પહોંચી શકશે, પોલીસને આવી માહિતી મળી છે. આ ઉપરાંત પોલીસને ટિકરી અને સિંઘુ બોર્ડરથી દિલ્હી પહોંચવા માટેના વધુ ખેડૂતો વિશે પણ માહિતી મળી છે.




© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution