ગાંધીનગર, ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમણના કાળ બાદ સરકારી કચેરીમાં સમયસર ન આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ સંજાેગોમાં ગુજરાત સરકાર દ્વારા નાણાં વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, રાજ્ય સરકારના કર્મચારીઓએ સરકારી કચેરીમાં સવારે ૧૦.૩૦ વાગ્યાથી સાંજે ૬.૧૦ મિનિટ સુધી હાજર રહેવાનું હોય છે. જાે કે કેટલાક સરકારી કર્મચારીઓ ૧૦.૪૦ પછી જ કચેરીમાં આવતા હોય છે. એટલું જ નહીં સાંજે ૬.૧૦ વાગ્યા પહેલા કચેરીમાંથી રવાના થઈ જતાં હોય છે. ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પડાયેલા આ નવા પરિપત્ર મુજબ, આવા કિસ્સામાં કોઈ કર્મચારી ૧૦ મિનિટ મોડા આવતા કે વહેલા જતાં રહેતા ત્રીજી વાર પકડાશે તો તેવા કર્મચારીની અડધા દિવસની રજા ગણવામાં આવશે. આ ઉપરાંત જાેકોઈ કર્મચારી વારંવાર આવું કરતાં પકડાશે તો તેવા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવા માટેનો આદેશ પણ આ પરિપત્રમાં સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના સંક્રમણને નિવારવા માટે તેમજ તેને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારના દરેક કર્મચારીઓની હાજરી માટે ઈલેક્ટ્રોનિક કાર્ડ સ્વાઈપ કરવાથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ કેટલાક કર્મચારીઓ આ મુક્તિનો દૂર ઉપયોગ કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. તાજેતરમાં યોજાયેલી રિવ્યૂ બેઠકમાં કેટલાક સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન કરતા ન હોવાનો મુદ્દો પણ ઉછળ્યો હતો, જેના કારણે આ વિગતો સામે આવી હતી. જેના કારણે આ રિવ્યૂ બેઠક બાદ રાજ્ય સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા આ મામલે કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આ મામલે તેમણે એક પરિપત્ર બ હાર પાડવાનો આદેશ કર્યો હતો.જેના અનુસંધાનમાં રાજ્યના નાણાં વિભાગના સેકશન અધિકારી ડી. યુ ગોસાઈની સહીથી એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં ઉપરોક્ત બાબતોને વણી લેવામાં આવી છે.આ પરિપત્ર મુજબ જાે કોઈ કર્મચારી એક મહિનામાં બે વખત ૧૦.૪૦ બાદ કચેરીમાં આવશે અથવા સાંજે ૬ વાગ્યા પહેલા કચેરી છોડશે તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જાે કોઈ કર્મચારી માહિનામાં ત્રીજી વખત કચેરીમાં ૧૦ મિનિટ મોડા આવશે અથવા ૧૦ મિનિટ વહેલા ઘરે જતાં રહેશે તો તે કર્મચારીની અડધા દિવસની રજા મૂકવામાં આવશે. તેમજ જાે કોઈ કર્મચારી આદત મુજબ વારંવાર મોડા આવશે અથવા તો વહેલા કચેરીમાંથી ઘરે જતાં રહેશે તો તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ પરિપત્રમાં એમ જણાવાયું છે કે, જાે કોઈ કર્મચારીને આકસ્મિક સંજાેગોમાં મોડા આવવાનું અને વહેલા જવાનુ જણાય તો તેણે તેના ઉપરી અધિકારીને વ્હોટ્‌સએપ મેસેજ દ્વારા આ વિશે જાણ કરીને તેમની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. સચિવાલય સહિત રાજ્ય સરકારના દરેક કર્મચારીઓ માટે આ નિયમ લાગુ પડશે.