લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2022 |
6633
એક સમયે નાથ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર રહેલા વડોદરા આજે પણ ‘નવનાથ’ના પવિત્ર સ્થાનકોથી રક્ષિત હોવાની શ્રદ્ધા યથાવત્ સેવાઈ રહી છે. કહેવાય છે કે ધરતીકંપ હોય કે કોઈ પણ મોટી કુદરતી આફત આ નવનાથ મહાદેવના મંદિરોના કારણે વડોદરા હંમશાં સંપૂર્ણ સુરક્ષિત રહ્યુ છે, અથવા તો નહિવત્ નુકસાનનો ભોગ બન્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ નવનાથ મંદિરો સહિત તમામ શિવાલયો આરતી, યજ્ઞો સહિતની ધાર્મિક વિધિઓ દ્વારા પવિત્ર વાતાવરણ સર્જશે.