દિલ્હી-

લાંબા સમયથી ચાલી રહેલા વૈશ્વિક કોરોના સંકટની છાયામાં તેલંગાણાના નાણામંત્રી અને વરિષ્ઠ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા, ટી હરીશ રાવના કાફલા સાથે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સિદ્દીપેટ થી હૈદરાબાદ આવી રહયા હતા ત્યારે, તેમનો કાફલાને અકસ્માત નડ્યો હતો અને વાહનને થોડું નુકસાન થયુ હતુ. ટી હરીશ રાવ અકસ્માત માં બચી ગયા હોઈ અને એક વ્યક્તિને થોડીક ઈજાઓ પહોંચી હતી. ટી હરીશ રાવે ટ્વિટર દ્વારા આ અંગે માહિતી આપી હતી.