તો ભારતના બીજા રાજ્યો પાકિસ્તાનમાં છે કે પછી પુતિન આવશે રસી આપવા: શિવસેના
24, ઓક્ટોબર 2020

દિલ્હી-

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મતદારોને લલચાવવા માટે કોરોના રસી રજૂ કરવામાં આવે ત્યારે સમગ્ર રાજ્યના લોકોને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. હવે તેની સાથે દેશમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. આ સંદર્ભમાં શિવસેનાએ મુખપત્ર સામનામાં ભાજપ પર નિશાન સાધ્યું છે.

શિવસેનાએ સામનામાં કહ્યું છે કે ભાજપની ખરી નીતિ શું છે? તેમના માર્ગદર્શક કોણ છે? આ અંગે કંઇક મૂંઝવણ હોય તેવું લાગે છે. બે દિવસ પહેલા વડા પ્રધાન મોદીએ લોકોને ખાતરી આપી હતી કે સરકાર કોરોના રસીને દેશના તમામ લોકો માટે સુલભ બનાવવા પ્રયાસ કરશે. વડા પ્રધાન રસી વિતરણ કરતી વખતે જાતિ, ધર્મ, પ્રાંત, રાજકારણ ક્યાંય લાવ્યા નહીં.

શિવસેનાએ સમનાંમા તેમના પ્રથમ વાયદોનો ઉલ્લેખ ઉલ્લેખ કરીને વિત્ત મંત્રી પર નિશાનો સાંધ્યો છે અને તેને વિચિત્ર ગણાવ્યો છે. શિવસેનાએ પણ સવાલ કર્યો છે કે જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, તે રાજ્યો પાકિસ્તાનમાં છે? અથવા આ રાજ્યોને કોરોના રસી પુતિન આપશે ? શિવસેનાએ સામનાના તંત્રી કોલમમાં કોરોના યુગમાં યોજાનારી ચૂંટણી રેલીઓ વિશે પણ ધ્યાન દોર્યું છે. શિવસેનાએ કહ્યું છે કે નેતાઓના હેલિકોપ્ટર ઉડતા હોય છે અને અસહ્ય જામી રહી છે. આ ભીડની કારણે કોરોના દબાઇને મરી જાય અને રાજકીય ક્રાંતિ થાય છે. તંત્રીલેખમાં ભાજપને ઠપકો આપતા કહેવામાં આવ્યં હતું કે નિર્ણય બિહારમાં જે નિર્ણય આવવાનો હશે તે આવશે, પરંતુ ભાજપે લોકોના મનમાં કોરોનાનો ભય ઉભો કરીને મફત રસી લગાડવાનો 'ફોકટનો' ઉદ્યોગ શરૂ કર્યો છે.




© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution