કોરોનાના કેસો વધતા શહેરમાં રાત્રિ કરફ્યુના સમયગાળામાં બે કલાકનો વધારો કરાયો છે. બુધવારે રાત્રે દસ વાગ્યાથી કરફ્યુનો સમય શરૂ થતા જ ઠેરઠેર પોલીસના ધાડેધાડે ઉતરી પડ્યા હતા. પોલીસ કાફલાએ કરફ્યુનો કડકાઈથી અમલ શરૂ કરાવતા મોડીરાત સુધી રાહદારીઓ અને વાહનોથી ધમધમતા તમામ માર્ગો સુમસામ નજરે ચડ્યા હતા જયારે કેટલાક સ્થળોએ પોલીસે કરફ્યુના ભંગ બદલ કાર્યવાહી કરી હતી.