દિલ્હી-
દેશમાં આરોગ્ય મંત્રાલયને કામકાજ સંભાળનાર કેબીનેટમંત્રી મનસુખ માંડવીયા એ વેકસીનની અછત હોવાના તથા સેકડો વેકસીનેશન સેન્ટર બંધ કરવા પડયા હોવાના અહેવાલને નકારતા કહ્યું કે આ પ્રકારના અહેવાલ લોકોમાં ગભરાટ ફેલાવવા માટે જ આપવામાં આવે છે.
તેઓએ આજે અનેક ટવીટ કરીને વેકસીનની અછતના દાવાને નકાર્યા છે. તેઓએ જણાવ્યું કે એ વેકસીનની ઉપલબ્ધતા અંગે વિવિધ રાજય સરકારો અને નેતાઓના વિધાનોની માહિતી મેળવી છે જેની સ્થિતિને વધુ સારી રીતે સમજી શકાય છે પણ વેકસીનની કોઈ અછત નથી. તેઓએ આરોપ મુકયો કે આ પ્રકારના વિધાનો નિરર્થક રીતે લોકોમાં ગભરાટ ફેલાવવા માટે જ આપવામાં આવે છે. તેઓએ કહ્યું કે જૂનમાં 11.46 કરોડ ડોઝ સરકારી ચેનલ મારફત રાજયોને મોકલાયા હતા અને જુલાઈમાં તે 13.50 કરોડ હશે અને આ માહિતી 19 જૂને જ આપી દેવામાં આવી હતી. તેઓએ કહ્યું કે સમસ્યા કેન્દ્ર નહી રાજયોમાં છે. મીડીયા ખોટી રીતે ભ્રમ અને ચિંતા ઉભી કરે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments