અમદાવાદ-
અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મી કૅન્ટોનમેન્ટ આવેલા હનુમાન મંદિર ને લઈને આજે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. આ હનુમાન મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવાના મુદે આજે હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી. આ પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે કેમ્પ હનુમાન સ્વયંભુ છે. આ મૂર્તિ કોઈ કારીગર દ્વારા બનાવમાં આવી નથી. આ મુર્તિ દોઢશો વર્ષ જૂની છે અને મંદિર પણ આટલા જ વર્ષનું જૂનું છે. જો આ મંદિરને શિફ્ટ કરવામાં આવશે તો હજારો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે.
આ અરજીમાં રજૂઆત કરી છે કે આ મુર્તિ કોઈ માનવ બનાવટની નથી સ્વયંભૂ મુર્તિ છે. દેશના બંધારણ પ્રમાણે લોકોને પોતાની ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર હોવાની રજૂઆત છે. આ અરજીમાં કૅન્ટોનમેન્ટ બોર્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ, કૅન્ટોનમેન્ટ બોર્ડના સી ઇ ઑ , રાજયસરકાર અને હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. કેમ્પ મંદિર અને હનુમાનજીણી મુર્તિ નહીં ખસેડવા માટેના વચગાળાના આદેશની માગણીઓ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે અમદાવાદનાં એક જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જોકે આ મંદિર સાથે હજારો ભક્તોની લાગણીઓ જોડાયેલી છે . જો આ મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવામાં ના આવે તેવી અરજદારની રજૂઆત છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments