PM મોદીએ તેમની પશ્ચિમ બંગાળની રેલી રદ કરી, હવે દિલ્હીમાં કરશે મોટી બેઠક
22, એપ્રીલ 2021

દિલ્હી-

પીએમ મોદીએ આવતીકાલની તેમની પશ્ચિમ બંગાળની રેલી રદ કરી નાખી છે અને તેને બદલે દિલ્હીમાં કોરોના પર મોટી બેઠક કરવાનો નિર્ણય કર્યો છે.


પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી કે કોવિડ-19 ની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવતીકાલે ઉચ્ચ સ્તરીય બેઠક કરવાનો છું. આને કારણે પશ્ચિમ બંગાળની 23 એપ્રિલની રેલી રદ કરુ છું.પીએમ મોદી આવતીકાલે બંગાળમાં 4 રેલી કરવાના હતા. મુર્શીદાબાદ, માલદા, બિરભૂમ અને કોલકાતા સાઉથમાં એક-એક રેલીને સંબોધિત કરવાના હતા તે માટેની તમામ તૈયારીઓ પણ થઈ હતી જે હવે પીએમ દ્વારા રદ કરી નાખવામાં આવી છે.પીએમ મોદીએ ગુરુવારે યોજેલી હાઈ લેવલની મીટિંગમાં ઓક્સિજનની જમાખોરી કરનારની સામે કડક પગલાં ભરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution