ઈડર-

ઈડરના પાવાપુરી જલ મંદિરના બે જૈન સાધુ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે રાજ તિલક સાગરની ધરપકડ કરી. જૈન સાધુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંને સાધુઓ સામે છેલ્લા એકાદ વર્ષથી વ્યાભીચાર આચરતા હોવાની તેમજ મહિલા અનુયાયીઓને ખરાબ નજરે જાેઈ તેમનું શારીરિક તથા માનસિક શોષણ કરતા હોવાની મૌખિક ફરિયાદો મળી હતી. 

ઉપરાંત આ બંને સાધુ ધર્મના નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરી સાંસારિક પ્રકારની જીવનચર્ચા મુજબ વર્તતા હોવાની જાણકારી મળી હતી. અને ફરિયાદના આધારે પોલીસે સાધુઓની પૂછપરછ સહિત સુરત જઈ મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.