પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને જાનથી મારી નાંખવાની ધમકી મળી
02, જાન્યુઆરી 2021

ચદીંગઢ-

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય પ્રધાનને ધમકી મળ્યા બાદ વહીવટતંત્રી હરકતમાં આવી ગયો છે. આ કેસમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં, કેપ્ટનને મારી નાખવાની ધમકી સાથે 10 લાખ ડોલરનું ઇનામ આપવાની વાત કરવામાં આવી છે.

આ અંગે મોહાલીના સેક્ટર -11 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે આઈપીસીની કલમ 504, 506, 120 બી, 34 અને પંજાબ નિવારણ મિલકત વટહુકમ અધિનિયમની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓને પકડવા માટે સાયબર ટીમનો ટેકો પણ લેવામાં આવી રહ્યો છે. મોહાલીમાં સેક્ટર -66 / 67 ના લાઇટ પોઇન્ટ પર પબ્લિક ગાઈડ મેપ લાગેલો છે.

આ મેપ પર કોઈકે કેપ્ટન અમરિંદર સિંહનો ફોટો મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે જાેયું કે કોઈએ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ફોટોવાળું પ્રિન્ટ નીકળીને તેના પર લખ્યું હતું કે જેણે કેપ્ટન અમરિંદર સિંહને જાનથી મારી નાખશે તેને 10 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. પોસ્ટર પર એક ઇમેઇલ આઈડી પણ લખેલી હતી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની શોધ કરી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution