દેશની ખાડે જતી અર્થવ્યવસ્થાને લઇને ફરી એકવાર રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
26, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

અર્થવ્યવસ્થા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સલાહ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે જે ખતરા અંગે હું ઘણા મહિનાઓથી ચેતવણી આપી રહ્યો હતો, તે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ પણ સ્વીકાર્યું છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટ દ્વારા આ વાત કહી છે. બુધવારે સવારે રાહુલે પોતાના ટ્વીટ દ્વારા એક અખબારના સમાચાર પણ શેર કર્યા છે. આ સમાચારમાં આરબીઆઈનો અહેવાલ લખ્યો છે.

આરબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં વપરાશને ભારે આંચકો મળ્યો છે, ગરીબોએ વધુ સહન કર્યું છે, તેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં લાંબો સમય લાગશે. આ સિવાય રાહુલ ગાંધીએ શેર કરેલા સમાચારોમાં એમ પણ લખ્યું છે કે સરકારે કોર્પોરેટ ટેક્સ રેટમાં જે રોકાણ ઘટાડ્યું છે તેનાથી રોકાણને પ્રોત્સાહન મળ્યું નથી, ઉલટાનું કંપનીઓ તેનો ઉપયોગ દેવું અને રોકડ સંતુલન ઘટાડવા માટે કરે છે. 

આરબીઆઈના આ અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારને સૂચનો આપ્યા છે. રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું કે, સરકારે હવે વધારે ખર્ચ કરવાની જરૂર છે, લોન આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગકારોનો કર માફ નહીં કરો. વપરાશ સાથે અર્થવ્યવસ્થાને ફરી શરૂ કરો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution