ભારતીય જવાનોએ ગઇકાલે રાતે બે અલગ-અલગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા તેમાં કુલ 8આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. શેપિયાના બંદપોહ વિસ્તારમાં ૫ આંતકવાંદીઓને મારવામાં આવ્યા હતા અને બીજુ ઓપરેશન અંવતીપુરામાં કરવામાં આવ્યુ હતું જ્યા ૩આંતકવાદી ઓને મારવામાં આવ્યા હતા. સુરક્ષાબળોથી બચવા માટે આંતકીઓ મસ્જીદમાં છુપાયા હતા. પુલવામાં પણ જવાનોની આંતકી સાથે અથડામણ થઇ હતી. એક પોલીસ અધિકારીની સુચના મુજબ દક્ષિણ કાશ્મીરના પુલવામાના પમ્પોરી વિસ્તારમાં મીઝમાં આતંકવાદીઓની હાજરી શોધી સુરક્ષા દળોએ આંતકીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી હતી.