રામ મંદિર બાદ શ્રી કૃષ્ણ મંદિર વિવાદ, મામલો પહોંચ્યો કોર્ટમાં
12, ઓક્ટોબર 2020

મથુરા-

રામ જન્મભૂમિ વિવાદના સમાધાન બાદ હવે મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. આ અરજી મથુરા જિલ્લા અદાલતમાં કરવામાં આવી છે. અરજીમાં સિવિલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. અગાઉ, સિવિલ કોર્ટે ભગવાન વતી કરેલી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે વિશ્વમાં ભગવાન શ્રીકૃષ્ણના અસંખ્ય ભક્તો છે. જો દરેક ભક્ત અરજ કરવા માંડે તો ન્યાયિક વ્યવસ્થા પતન કરશે. આ મામલે આજે બપોરે 2 વાગ્યે મથુરા સિવિલ કોર્ટમાં સુનાવણી થશે.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution