સુરત: રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ
10, સપ્ટેમ્બર 2020

સુરત-

કોરોના મહામારી વચ્ચે સુરતમાં ઘણા સમયથી રત્નકલાકારો માટે લડી રહેલા સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખનો મૃતદેહ મળ્યો છે. કામરેજ જિલ્લાની તાપી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા છેલ્લા ઘણા દિવસોથી સુરતના રત્નકલાકારો માટે લડી રહ્યા હતા. તેઓની હત્યા કરવામાં આવી છે કે પછી તેઓએ આપઘાત કરી લીધો છે તે બાબતે રહસ્ય ઘેરાયું છે.

સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ભાઈએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. તેઓએ કામરેજની તાપી નદીમાં જંપલાવી દીધું હતું. રાત્રે તેઓનો ફોન પર સંપર્ક ન થઈ શકતા પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું બાઈક કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યું હતું. જે બાદમાં નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution