બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના ગુનાહમાં આરોપીને સુરત કોર્ટે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ઓક્ટોબર 2020  |   5643

સુરત-

એપીપી કિશોર રેવલીયા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો સાક્ષીઓની જુબાની અને મેડિકલ પુરાવાને કોર્ટ ગ્રાહ્ય રાખ્યાં હતાં. આ સાથે આરોપી પ્રકાશ વસાવાને કસૂરવાર ઠેરવ્યો હતો. આરોપી પ્રકાશ વસાવા જેલમાં કુદરતી રીતે મૃત્યુ નહીં પામે ત્યાં સુધી એટલે કે, છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો. આરોપી પ્રકાશ વસાવાને કસૂરવાર ઠેરવી કોર્ટે ફટકારેલી અંતિમ શ્વાસ સુધીની સજાનો કુલ 237 પાનાંનો ચુકાદો જાહેર કર્યો હતો. ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, બાળાના મોતથી કુટુંબે તેમનું બાળક ગુમાવ્યું નથી પરંતુ એક સુશિક્ષિત નાગરિક બની શકે તેવા સંજોગો હતા. સેશન્સ જજ પી. એસ. કાલે આરોપીને જેલની ફટકારેલી સજાના જાહેર કરેલા ચુકાદામાં તપાસનીશ અધિકારીઓ વિરુદ્ધ પણ ખાતાકીય કાર્યવાહીનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના સુરેન્દ્ર પાલ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને રાજેન્દ્ર પ્રહલાદ રાય વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રના ચુકાદાને ધ્યાને લઇ આ કેસમાં પણ તપાસ કરનાર અધિકારીઓ તરફથી બેદરકારી અને નિષ્કાળજી રાખવા આવી હોવાનું જણાવી તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. આગામી ત્રણ માસમાં ખાતાકીય કાર્યવાહી કરી અત્રેની કોર્ટનો રિપોર્ટ કરવા હુકમ જણાવ્યું હતું કે, કંઈક ઓફિસ સુરત પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાને મોકલી આપવા ઠરાવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution