સુરત-
સુરત મ્યુનિ.ના મનપા કમિશ્નર રસી આવે તે પહેલાં તેના માટે ખાસ મેનેજમેન્ટ કરી રહ્યા છે. જેમાં તે કોરોનાની રસી આવે ત્યાર બાદ રસી કોને આપવી? કોણ આપશે? રસીની જાળળણી કેવી રીતે થશે? અને રસીના સ્થળો નક્કી કરવા માટેની બ્લુ પ્રિન્ટ વગેરે તૈયાર કરી રહ્યા છે. કોરોના સામે લડી રહેલાં હેલ્થ કેર વર્કરને સૌથી પહેલાં રસી અપાશે. જેમાં સુરત નવી સિવિલ, મ્યુનિ.ની સ્મીમેર હોસ્પિટલ, મ્યુનિ. અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ ઉપરાંત ઘરે ઘરે જઇ સર્વે કામગીરી કરતા વર્કરો તેમજ શિક્ષણ સમિતિના શિક્ષકો, આંગણવાડીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. હેલ્થ કેર વર્કરમાં ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ વર્કર અને ચોથા વર્ગના કર્મચારીઓને પહેલાં આવરી લેવાશે. જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની રસી આવી જાય તેવી શક્યતાને પગલે આ રસી સુરતમાં સૌથી પહેલા કોને આપવી તે અંગે સુરત મ્યુનિ.એ યાદી તૈયાર કરી છે. પહેલા તબક્કામાં 28500 હેલ્થ વર્કરોને રસી અપાશે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કરોને અપાશે. રસીકરણની કામગીરી યોગ્ય રીતે થાય તે માટે કોર્પોરેશન ટાસ્ક ફોર ઇમ્યુનાઇઝેશન (સીટીએફઆઇ)ની રચના પણ કરાઇ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments