દિલ્હી-

પ્રજાસત્તાક દિન નિમિત્તે લાલ કિલ્લામાં થયેલી હિંસા અંગે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા મળી છે. પીએમ મોદીએ તેમના  રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દુર્ઘટનાઓની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પદ્મ એવોર્ડ્સ અને ભારતીય ક્રિકેટ ટીમની જીત પર બોલ્યા પછી મોદીએ કહ્યું કે, "26 જાન્યુઆરીએ દિલ્હીમાં ત્રિરંગાનું અપમાન જોઈને રાષ્ટ્ર ખૂબ જ દુ:ખી હતો." 26 જાન્યુઆરીએ સેંકડો ખેડુતો લાલ કિલ્લાની પ્રાચિર પર પહોંચ્યા. તેમણે તે જ જગ્યાઅ બીજો ઝંડો લગાવ્યો જ્યા દર વર્ષે 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન ત્રિરંગો ફરકાવે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, આ મહિને ક્રિકેટની પિચ પરથી આપણને ખૂબ સારા સમાચાર મળ્યા છે. અમારી ક્રિકેટ ટીમે તેમની શરૂઆતની તકલીફ બાદ શાનદાર વાપસી કરી ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી લીધી. અમારા ખેલાડીઓની મહેનત અને ટીમ વર્ક પ્રેરણાદાયક છે. આ બધાની વચ્ચે, દિલ્હીમાં, 26 જાન્યુઆરીએ, ત્રિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ જ દુ:ખમાં હતો. આપણે ભવિષ્યને નવી આશા અને નવીનતાથી ભરવાનું છે. અમે ગયા વર્ષે અપવાદરૂપ સંયમ અને હિંમત બતાવી. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને આપણા સંકલ્પને સાબિત કરવો પડશે. આપણા દેશને આગળ અને ઝડપી ગતિએ લઈ જવા.