બનાસકાંઠા-
બનાસકાંઠા જિલ્લામાં અનેક વેપારીઓ ગ્રાહકો પાસેથી જીએસટીના નામે કાચા બિલ આપી વધુ રૂપિયા પડાવતા હોય છે, પરંતુ સરકારમાં પાકા બિલ બહુ જ ઓછા બતાવી વર્ષે કરોડો રૂપિયાની કરચોરી કરતાં હોય છે. આ બાબતે મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગને બાતમી મળતા તેઓએ બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ ચાર ટિમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં ભાભરના નટવરલાલ જવેલર્સેના 5 લાખ, જગદીશ જવેલર્સમાંથી રૂ. 1.62 લાખ, પાલનપુરની શ્રીમુલ ડેરીમાંથી રૂ. 7 લાખ અને ડીસામાં ગોકુલ પાર્લરમાંથી રૂ. 40 હજાર એમ કુલ 14.02 લાખની રકમની કરચોરી ઝડપાઈ હતી. આ તમામ જવેલર્સ અને ડેરીના સંચાલકોએ અદ્ધરિયા બિલથી જ લાખો રૂપિયાના માલસામાનનો વ્યવહાર કર્યો હતો. આથી મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગે ચારેય સંચાલકો સામે કરચોરીના ગુના સબબ દંડની રકમ વસૂલવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments