દિલ્હી-

કોરોના મહામારી વચ્ચે સંસદનું મોનસૂન સત્ર 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ વખતે સત્ર દરમિયાન કંઈક એવું જાેવા મળશે જે ઈતિહાસમાં ક્યારેય નહિ જાેયું હોય. આ વખતે કદાચ બંને સદનની કાર્યવાહી એકસાથે નહિ ચાલે કેમ કે પ્રત્યેક સદન દ્વારા ઉચિત દૂરીનું પાલન કરતાં સભ્યોને બેસવા માટે બંને ચેંબર અને દીર્ઘાઓનો ઉપયોગ કરવાની સંભાવના છે.

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જાેશીએ કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખઈ સત્રની તૈયારીઓની સમીક્ષા માટે સોમવારે લોકસભા અને રાજ્યસભા બંનેની ચેમ્બરના હાલ જાણ્યા. અગાઉ રવિવારે રાજ્યસભા સચિવાલયે કહ્ય્šં હતું કે ચોમાસું સત્ર દરમિયાન ઉચ્ચ સદનના સભ્યોને બંને ચેંબર એ દીર્ઘામાં બેસાડવામાં આવશે. ભારતીય સંસદના ઈતિહાસમાં પહેલીવાર આવા પ્રકારની વ્યવસ્થા હશે જ્યાં ૬૦ સભ્યો ચેમ્બરમાં બેસશે અને ૫૧ સભ્યો રાજ્યસભાની દીર્ઘાઓમાં બેસશે. આ ઉપરાંત બાકી 132 સભ્યો લોકસભાની ચેમ્બરમાં બેસશે. લોકસભા સચિવાલય પણ સભ્યોના બેસવા માટે આવા પ્રકારની વ્યવસ્થા કરી રહી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રાજનૈતિક દળોને તેમની ક્ષમતા મુજબ બેસવા સંબંધિત નિર્દેશ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સદનના નેતા થાવર ચંદ ગેહલોત કે અને વિપક્ષના નેતા અને અન્ય પાર્ટી નેતાઓ માટે ઉચ્ચ સદનના ચેમ્બરમાં નામાંકિત સીટો નિર્ધારિત કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન ડાૅ મનમોહન સિંહ અને એચડી દેવગૌડા માટે પણ સદનની ચમ્બરમાં જ નામાંકિત સીટ નિર્ધારિત કરવામાં આવશે.