ચૈન્નઇ-
નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)એ તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે રીઢા આતંકવાદીને ઝડપી લીધા હતા. આ બંને રિયાધ પોલીસના પણ વોન્ટેડ લિસ્ટમાં હતા. રિયાધે આ બંને માટે લૂકઆઉટ નોટિસ બહાર પાડી હતી.
અગાઉથી મળેલી બાતમીના આધારે NIAએ તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નજર રાખી હતી. બેમાંનો એક સુહૈબ કન્નૂરના પપ્પીનસીનરી વિસ્તારનો રહેવાસી છે. બેંગલોર બોમ્બ વિસ્ફોટના કેસમાં એની તલાશ હતી. બીજાે આરોપી મુહમ્મદ ગુલનવાઝ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. દિલ્હી હવાલા કાંડમાં પોલીસને એની તલાશ હતી. આ બંનેને પહેલાં કોચી લઇ જવાશે. ત્યારબાદ સુહૈબને બેંગલોર લઇ જવાશે જ્યારે ગુલનવાઝને દિલ્હી લઇ જવાશે. આ બંનેમાંનો એક લશ્કર-એ-તૈયબનો અને બીજાે ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકવાદી છે. હાલ બંનેની આકરી પૂછપરછ કરાઇ રહી હતી. NIAએ આથી વધુ કોઇ માહિતી હાલ મિડિયાને આપવાનો ઇનકાર કર્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments